Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં એકસાથે 16 જગ્યા પર ઇનકમ ટેક્સ વિભાગના દરોડા, 7 કરોડની રોકડ જપ્ત

Webdunia
બુધવાર, 16 ઑક્ટોબર 2019 (10:39 IST)
અમદાવાદમાં ઇનકમ ટેક્સ વિભાગે 16 જગ્યાઓ પર એકસાથે દરોડા પાડ્યા હતા. આ દરોડા મોટાભાગના રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોને ત્યાં પાડવામાં આવ્યા છે. ઇનકમ ટેક્સ વિભાગને દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં રોકડ અને સોનાના દાગીના મળી આવ્યા છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, રિયલ એસ્ટેટ બ્રોકર્સ અને ડેવલપર્સની ઓફિસ અને ઘર પર ઇનકમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. 16 જગ્યાઓ પર પડાવામાં આવેલા દરોડામાં બે જગ્યાઓ પરથી 7 કરોડ રૂપિયાની રોકડ મળી આવ્યા છે. આ ઉપરાંત ઇનકમ ટેક્સ વિભાગને મોટા પ્રમાણમાં સોનાના દાગીના પણ મળી આવ્યા છે. જપ્ત કરેલી કેશ અને દાગીનાને સીઝ કરવામાં આવી છે. ઇનકમ ટેક્સ વિભાગના અધિકારીએ તેનાથી જોડાયેલા દસ્તાવેજોને સીઝ કરી તપાસ હાથ ધરી છે.
 
તમને જણાવી દઇએ કે, ઇનકમ ટેક્સ વિભાગ દેશના વિવિધ ભાગોમાં દરોડા પાડી રહ્યું છે. તાજેતરમાં જ ઇનકમ ટેક્સ વિભાગે કર્ણાટકના પૂર્વ ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વરની વિવિધ જગ્યાઓ તથા તેમના ઘર પર દરોડા પાડ્યા હતા. તે દરમિયાન ટીમને આવક સંબંધિત દસ્તાવેજો મળ્યા, જેને તેમણે જપ્ત કર્યા હતા. આ ઉપરાંત રાજસ્થાનના કોટા જિલ્લામાં વિભાગે શહેરના પાંચ મોટા વેપારીઓને ત્યાં પણ દરોડા પડ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કચ્છ રણ ઉત્સવથી માત્ર 150 કિમીની અંદર છે, આ 3 સારા સ્થળો તમે મુલાકાત લઈ શકો છો

ગુજરાતી જોક્સ - રાયતા ફેલાવવા છે

ગુજરાતી જોક્સ - શ્રી કૃષ્ણ

ગુજરાતી જોક્સ - મૂર્ખ વકીલ

Shehnaaz Gill: ‘હુ શુ કરુ મરી જઉ ?' થી લઈને 'મે તેરી હીરોઈન હુ ...' સુધી આ છે શહેનાઝ ગિલના 7 ફેમસ ડાયલોગ

વધુ જુઓ..

નવીનતમ

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

Essay on Artificial Intelligence અથવા AI નુ ભવિષ્ય, તકો અને સંકટ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમા AI ના યોગદાન પર નિબંધ

દ્રૌપદીએ પાંચ પાંડવો સાથે કેવી રીતે સંબંધો જાળવી રાખ્યા?

રામાયણની વાર્તા: ભગવાન રામનું મૃત્યુ

Kitchen Tips- કલાકોનું કામ મિનિટોમાં થઈ જશે, અજમાવો આ જાદુઈ કિચન ટ્રિક્સ

આગળનો લેખ
Show comments