Dharma Sangrah

ગોવા જવાનું હોય તો પહેલા આ ન્યૂઝ વાંચી લો, અમદાવાદથી વન-વે એરફેરમાં તોતિંગ વધારો થયો

Webdunia
સોમવાર, 8 ઑગસ્ટ 2022 (12:59 IST)
૧૫મી ઓગસ્ટની રજાઓમાં બહાર ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોવ તો સામાન્ય કરતાં અઢી ગણું એર ફેર ચૂકવવું પડી શકે છે. વાત એમ છે કે, રક્ષાબંધન, બીજો શનિવાર અને સોમવાર એમ સળંગ રજાઓને પગલે અમદાવાદથી વન-વે એરફેરમાં તોતિંગ વધારો થયો છે.

૧૧ ઓગસ્ટના ગુરુવારે રક્ષાબંધનની જાહેર રજા છે ત્યારબાદ બીજો શનિવાર-રવિવાર  આવે છે અને સોમવારે સ્વતંત્રતા દિવસ છે. આમ, શુક્રવારની એક દિવસની રજાની ગોઠવણી કરીને પાંચ દિવસના મિની વેકેશન માટે અનેક લોકો આયોજન કરી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદથી ગોવા જવા માટેનું વન-વે એરફેર સામાન્ય દિવસોમાં રૃપિયા ૫ હજારની આસપાસ હોય છે અને તે હવે ૧૨ ઓગસ્ટમાં ૧૪ હજારને પાર થઇ ગયું છે. રજાઓ નજીક આવશે તેમ આ એરફેર હજુ ૧૫ હજાર સુધી પણ પહોંચે તેમ મનાઇ રહ્યું છે.  અમદાવાદથી મુંબઇનું મહત્તમ વન-વે એરફેર વધીને હવે રૃપિયા ૬૪૨૭ થઇ ગયું છે.ટૂર ઓપરેટરોના મતે ગોવા હંમેશાં ગુજરાતીઓ માટે વેકેશનમાં ફેવરિટ રહ્યું છે. ગોવા, જયપુર, બેંગાલરુ, દેહરાદૂન માટે ભારે માગને લીધે તેના એરફેરમાં વધારો થયો છે. આ ઉપરાંત તાજેતરમાં વિમાન માટેના ઈંધણની કિંમત વધતા તેના લીધે પણ એરફેર આસમાને જઇ રહ્યા છે. એરફેર ઉપરાંત આ ફરવાના સ્થળોએ આવેલી હોટેલ-રીસોર્ટ્સમાં પણ બૂકિંગ ફૂલ થવા લાગ્યા હોવાનું સામે આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - પૈસાનું કોઈ મહત્વ નથી.

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

આગળનો લેખ
Show comments