Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફાયનાન્સ એશિયાએ એચડીએફસી બેંકને જાહેર કરી 'બેસ્ટ બેંક', ભારતની સૌથી વધુ નફો ધરાવતી બેંક બની

Webdunia
શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (12:56 IST)
ગ્લોબલ મેગેઝીન ફાયનાન્સ એશિયાએ, સતત પાંચમા વર્ષે  એચડીએફસી બેંકને 'બેસ્ટ બેંક' જાહેર કરી છે. ભારતની આ મોખરાની બેંકને આ પ્રકાશનના કન્ટ્રી એવોર્ડઝ ફોર એચિવમેન્ટ 2021માં તેના "ઉદ્યોગમાં  અગ્રતા ધરાવતા ઘણા માપદંડને" બિરદાવવામાં આવ્યા છે.
 
તેના તંત્રી લેખમાં ફાયનાન્સ એશિયા લખે છે કે "બેંકે  ઘણા ક્ષેત્રોમાં ઉદ્યોગમાં મોખરાના માપદંડ અનુસરવાનુ ચાલુ રાખ્યુ છે અને તે વધુ એક વર્ષે સ્પષ્ટપણે વિજેતા જાહેર થઈ છે. ઉદ્યોગમાં લીડર ગણાતી એસબીઆઈ કરતાં  એચડીએફસી બેંકની અડધી આવક હોવા છતાં, તે એક તૃતીયાંશ વધારે નફાકારક છે.  તે ભારતની સૌથી વધુ નફો ધરાવતી બેંક બની છે. આ નફાકારકતાની ગતિ નાણાંકીય વર્ષ 2021 માં પણ ચાલુ રહી છે."
 
તેના તાજા અંકમાં આ મેગેઝીન લખે છે કે " આનો અર્થ એ થાય કે એ વાતનું અચરજ નથી કે, એચડીએફસી એવા વેલ્યુએશન પ્રિમિયમથી ટ્રેડ થઈ રહી છે કે જે ખૂબ જ જૂજ એશિયન બેંકો માટે સંભવિત બની  શક્યુ છે..  ભારતનો અત્યંત ઘાતક કોવિડ સ્પ્રીંગ   2021ના આખરી ભાગમાં ઠરીઠામ થવાની શરૂ કરી રહ્યો હતો ત્યારે એચડીએફસી બેંકનુ તેની બુક વેલ્યુ કરતાં ચાર ગણી  કીંમતે ટ્રેડીંગ થઈ રહ્યુ હતું." 
 
ફાયનાન્સ એશિયાના વાર્ષિક કન્ટ્રી એવોર્ડઝ ફોર એચિવમેન્ટમાં એશિયા પેસિફિક ક્ષેત્રના દેશોની બહેતર કામગીરી કરતી બેંકોની કદર કરવામાં આવે છે. બેંકને આ બિરૂદ  તેમના પરફોર્મન્સ, વિઝન,  અને લાંબા ગાળાની વ્યુહરચનાને  ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. આ વર્ષ વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે આ વર્ષ ફાયનાન્સ એશિયાની 25મી વર્ષગાંઠ છે.
 
ફાયનાન્સ એશિયાના તંત્રીગણને, અગાઉ સિનિયર પદ શોભાવી ચૂકેલા બેંકર્સ અને ફંડ મેનેજર્સની બનેલી એડવાઈઝરી પેનલનો સહયોગ પ્રાપ્ત થયો છે. આ નિષ્ણાત પેનલ પસંદગીની પ્રક્રિયામાં ટેકનિકલ માર્ગદર્શન  અને સલાહ પૂરી પાડે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments