Webdunia - Bharat's app for daily news and videos

Install App

એચડીએફસી બેંકના CIO પદે રમેશ લક્ષ્મીનારાયણનની નિમણૂક

Webdunia
રવિવાર, 8 નવેમ્બર 2020 (12:24 IST)
નવી દિલ્હી: એચડીએફસી બેંક લિમિટેડે ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના પોતાના ગ્રૂપ હેડ તરીકે રમેશ લક્ષ્મીનારાયણનની નિમણૂક કરી છે. તેઓ ચીફ ઈન્ફોર્મેશન ઓફિસર (સીઆઈઓ)નું પદ સંભાળશે અને બેંકની ટેક્નોલોજીના પરિવર્તનને લગતી કામગીરીને નવા સ્તરે લઈ જવાની જવાબદારી સંભાળશે. 
 
બેંકના તમામ સ્તરે તેમની ભૂમિકા હશે. તેઓ બેંકની ટેક્નોલોજીને લગતી વ્યૂહરચના, ફાઉન્ડેશનલ ટેક્નોલોજીને સુદ્રઢ બનાવવા, ડિજિટલ ક્ષમતામાં વધારો અને નવા યુગના એઆઈ/એમએલ ટેક્નોલોજી સોલ્યુશનના ઉપયોગ માટે જવાબદાર રહેશે.
 
રમેશ લક્ષ્મીનારાયણને આ પહેલાં ક્રિસિલમાં ત્રણ વર્ષ સુધી ચીફ ટેક્નોલોજી એન્ડ ઈન્ફોર્મેશન ઓફિસરના પદે સેવા આપી હતી. અહીં તેઓ ટેક્નોલોજી, ડેટા અને વિશ્લેષણનો લાભ લઈ ક્રિસિલના વ્યવસાયમાં પરિવર્તન લાવવાની જવાબદારી સંભાળતા હતા. ક્રિસિલ સાથે જોડાતા પહેલા તેઓ પ્રેગમેટીક્સ સર્વિસિઝ પ્રાઈવેટ લિમિટેડ નામના બિગ ડેટા અને એનાલીટિક્સ સ્ટાર્ટ અપ સાથે સંકળાયેલા હતા, જેના તેઓ સહસ્થાપક હતા. 2017માં આ સ્ટાર્ટઅપને ક્રિસિલે હસ્તગત કર્યું હતું.
 
રમેશ લક્ષ્મીનારાયણને જણાવ્યું હતું કે, હું ભારતના ખાનગી સેક્ટરની અગ્રણી બેંક સાથે નવી ઈનિંગ શરૂ કરીને એક નવો મોરચો સંભાળી રહ્યો છું, જે મારા માટે એક રોમાંચક ક્ષણ છે. એચડીએફસી બેંકમાં ગ્રાહકો માટે પ્રોડક્ટ્સ અને સેવાઓમાં વધારો કરવો એ સતત ચાલતી પ્રક્રિયા છે. બેંક ટેકનોલોજીનો લાભ લેવામાં ટોચના સ્થાને જળવાઈ રહે તેની ખાતરી કરવા માટે હું મારા અનુભવ અને ટેક્નોલોજીની સમજ, નવા ડિજિટલ પ્લેટફોર્મ્સ, ડેટા અને એનાલીટિક્સનો ઉપયોગ કરી શકીશ તેવી મને આશા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments