Webdunia - Bharat's app for daily news and videos

Install App

હારને હાતાશામાં ન ફેરવો, એને જીતનો મંત્ર બનાવો: કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોની પાલનહાર બની સરકાર

Webdunia
બુધવાર, 1 જૂન 2022 (14:27 IST)
કોરોના માતા-પિતા ગુમાવનાર બાળકોની સ્થિતિ એવી થઇ જતી હોય છે કે જેની કલ્પના પણ ન કરી શકાય. પોતાના સ્વજનોને ગુમાવ્યા બાદ આવા બાળકો માટે જીવન જીવવું મુશ્કેલ બની જતું હોય છે તેમજ તેમના દરેક દિવસો સંઘર્ષમય પસાર થતા હોય છે ત્યારે આવા બાળકો માટે શિક્ષણ એક પડકાર બની રહેતી હોય છે. આથી કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે સરકાર તારણહાર બની છે તેમના માટે PM CARE યોજના લઇને આવી છે.
 
મંગળવારે ભાવનગરનાં કલેકટર કચેરી ખાતે આવેલ વિડીયો કોન્ફરન્સ હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં પીએમ કેર યોજનાનાં લાભાર્થીઓને સ્કુલ બેગ, પોસ્ટ ઓફિસની પાસબુક, PMJAY હેલ્થ કાર્ડ, પીએમ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલા હતાં.
 
આ યોજનાનાં લાભાર્થીની નિપાબેન પરમારે જણાવ્યું હતું કે, તેમની જેઠાણીનું અવસાન અગાઉ થયેલું હતું તેમજ તેમના જેઠનું પણ કોરોનાથી અવસાન થતાં તેમનું બાળક માતા-પિતા વિહોણું બન્યું હતું ત્યારે બાળકની જવાબદારી કાકા-કાકી ઉપર આવી ગઈ હતી. સરકારની આ યોજનાથી બાળકને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ મળશે.
 
આ ઉપરાંત અન્ય લાભાર્થી દિવ્યાબેન ચુગડીયાએ જણાવ્યું હતું કે, ચાર વર્ષ પહેલા પિતાનું અવસાન થયં  હતું તેમજ કોરોનામાં માતાનું પણ અવસાન થતાં નાના ભાઈ-બહેનની જવાબદારી તેમના પર આવી હતી. સરકારશ્રીની PM CARE યોજનાથી તેનાં બંને નાના ભાઈ-બહેનોને ભણાવી શકાશે તેમજ તેમનું ભરણપોષણ પણ યોગ્ય રીતે થઇ શકશે. આ તકે તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત ૨૧ વર્ષની વય સુધી માસિક ચાર હજારની સહાય, સ્પોન્સરશીપ યોજના અંતર્ગત ૧૮ વર્ષની વય સુધી બાળકોને માસિક બે હજારની સહાય તેમજ વય મર્યાદાને ધ્યાનમાં રાખી દસ લાખ સુધીની સહાય મળવાપાત્ર છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત PMJAY કાર્ડ પણ દરેક બાળકોને આપવામાં આવ્યાં હતાં.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments