Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતનો કાપડ ઉદ્યોગ મંદીમાં સપડાયોઃ લાખો લોકોની રોજી ઉપર સવાલ

cloth business slow Down
Webdunia
બુધવાર, 13 નવેમ્બર 2019 (16:33 IST)
ગુજરાતમાં કાપડ બજારને મંદીનું ગ્રહણ લાગ્યુ છે. નોટબંધીને કારમે આ બજારની કમર તુટી ગઈ હતી અને GST ને કારમે તેની રહી સહી જાહોજલાલીને પણ નજર લાગી છે. હાલ અહીં 30થી 40 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ બજાર સાથે સંકળાયેલા લાખો લોકો બેરોજગાર થયા છે. કાપડ માર્કેટમાં મંદીની સ્થિતિ યથાવત છે. દિવાળી બાદ કાપડ માર્કેટ મંદીની ચપેટમાં આવી ગયું છે. લગ્નની સિઝનની શરૂઆત થઇ હોવા છતા પણ કાપડ માર્કેટમાં મંદીની સ્થિતિ છે. ત્યારે વેપારીઓનો આક્ષેપ છે કે નોટબંધી બાદ કાપડ માર્કેટને ફટકો પડ્યો છે. આ ઉપરાંત GSTના કારણે પણ રિફંડ અટકી જવાની ફરિયાદો મળી રહી છે. હાલ કાપડ વ્યવસાયમાં 30થી 40 ટકાનો ઘટાડો થયો છે. માલ ખરીદ્યા બાદ વેચાણ ન થતા વેપારીઓમાં ચિંતા છે. અમદાવાદ અને સુરતમાં કાપડ ઉદ્યોગમાં પણ ઘેરી મંદી જોવા મળી રહી છે. વિવિંગ, લુમ્સ અને ડાઇંગ ઉદ્યોગમાં સાવ મંદા પડી ગયા છે.  અમદાવાદામાં કાપડની 100થી વધારે પેઢી કાચી પડી છે. રોજે રોજનું જે ટર્નઓવર હતુ તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેવ દિવાળી પણ જતી રહી હોવા છતાં ધંધામાં જોઈએ તેવી તેજી જોવા મળતી નથી. કાપડ માર્કેટમાં માલસામનની આવક-જાવક ઘટી છે. કાપડમાં 40 ટકાથી વધારે કામકાજ ઠપ્પ છે. સુરતના કાપડ જુદા જુદા ઉદ્યોગમાં 14 લાખને રોજગારી આપે છે ત્યારે હાલ કાપડ માર્કેટમાં જ 4 લાખ લોકોને જ રોજગાર મળી રહ્યો છે. હાલમાં કાપડ ઉદ્યોગમાં માત્ર 1.5 લાખ લોકો પાસે જ રોજગારી છે. સુરતમાં રોજની જેટલી માલસામનની ટ્રક આવ જા કરતી હતી તેનો આંકડો જ મંદીની ચાડી ખાય છે. સામાન્ય રીતે પ્રતિદિન 100 ટ્રકની સામનની જાવક સામે 25 ટ્રકની જાવક જઈ રહી છે. જેને પગલે બેરોજગારી જોવા મળી રહી છે. સુરતમાં ડાઇંગની 350 યુનિટોમાંથી મોટા ભાગના યુનિટ બંધ છે જ્યારે સુરતમાં છ લાખ લુમ્સમાંથી માત્ર 25 ટકા જ લુમ્સ ચાલું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments