Webdunia - Bharat's app for daily news and videos

Install App

Budget 2021: વીમા ક્ષેત્રમાં એફડીઆઈ મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરાઇ

Webdunia
સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (22:02 IST)
સંસદમાં આજે કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે સરકાર વીમા ક્ષેત્રમાં એફડીઆઈની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરી દેશે અને વિદેશી માલિકી અને નિયંત્રણને મંજૂરી આપશે, જરૂરી સલામતી સાથે વીમા અધિનિયમ, 1938માં સુધારો કરશે. 
 
સૂચિત નવી રચના હેઠળ, બોર્ડમાં મોટાભાગના ડિરેક્ટર અને મુખ્ય મેનેજમેન્ટ-સંબંધિત લોકો ભારતીય જ હશે, જ્યારે ઓછામાં ઓછા 50 ટકા ડિરેક્ટર હકીકતમાં સ્વતંત્ર ડિરેક્ટર હશે અને નફાના ચોક્કસ ભાગને આરક્ષિત રકમ તરીકે જાળવી રાખવામાં આવશે.
 
નવું સ્ટ્રક્ચર બનાવીને ફસાયેલા દેવાની પતાવટ કરવામાં આવશે
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં ફસાયેલા દેવાઓને એકત્રિત કરવા અને મેળવવા માટે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ અને એસેટ મેનેજમેન્ટ કંપનીની સ્થાપના કરવામાં આવશે અને ત્યારબાદ સંબંધિત લોનનું યોગ્ય સંચાલન કરવા અને તેમને વૈકલ્પિક રોકાણ ભંડોળમાં અને અન્ય સંભવિત રોકાણકારોને વેચી શકાશે. આખરે આ ફસાયેલા દેવાની સાચી કિંમત તરફ દોરી જશે. આ પગલાંથી જાહેર ક્ષેત્રની બેંકો તેમના ફસાયેલા દેવાની અસરકારક રીતે સંચાલન કરવામાં મદદ કરશે.
 
પી.એસ.બી.નું પુન: મૂડીકરણ
જાહેર ક્ષેત્રની બેંકો (પીએસબી) ની નાણાકીય ક્ષમતાને મજબૂત કરવા માટે સરકારે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 20,000 કરોડ રૂપિયાના વધુ પુન:પ્રાપ્તિકરણની દરખાસ્ત કરી છે.
 
જમા વીમો
નાણાં મંત્રીએ જમા વીમા કવર 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ કરવાની મંજૂરી આપી હતી. હાલમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા બેંક થાપણદારોને મદદ કરવા માટે સરકાર સંસદના વર્તમાન સત્રમાં ડીઆઈસીજીસી એક્ટ, 1961માં સુધારો કરવા માટે એક બિલ રજૂ કરશે, જેથી સંબંધિત જોગવાઈઓને સુવ્યવસ્થિત કરી શકાય. આવી સ્થિતિમાં, જો કોઈ બેંક અસ્થાયી રૂપે તેની જવાબદારીઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય, તો તે બેંકના થાપણદારો તેમની થાપણ વીમા કવરની કુલ થાપણોને સરળ અને સમય મર્યાદામાં મેળવી શકશે.
 
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે નાણાં લેનારાઓના હિતોનું સતત રક્ષણ સુનિશ્ચિત કરતા ઋણ સંબંધી અનુશાસનને વધુ સારું બનાવવાના ઉદેશ્યથી 100 કરોડ રૂપિયાની ઓછામાં ઓછી સંપતિ કદવાળી એનબીએફસી માટે, નાણાકીય અસ્કયામતોની સલામતી અને પુનર્નિર્માણ માટેના લઘુત્તમ લોનનું કદ અને સલામતી હિતના એન્ફોર્સમેન્ટ (સારફાઈએસઆઈ) એક્ટ, 2002ને હાલના 50 ટકાના સ્તરથી ઘટાડીને 20 લાખ રૂપિયા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.  
 

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Akshaya Tritiya Prasad: પ્રસાદમાં ઝટપટ તૈયાર કરો દાણાદાર મોહનથાળ

સિંધી કોકી બનાવવાની રેસીપી Sindhi koki recipe

ખોરાક બની રહ્યો છે બિમારીઓનું મોટું કારણ, જાણો તમારીથાળીમાં એક દિવસમાં કેટલી રોટલી, શાકભાજી અને ફળ હોવા જોઈએ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

આગળનો લેખ
Show comments