Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે જન જન વીમા યોજના આવશે?

Webdunia
મંગળવાર, 25 નવેમ્બર 2014 (15:14 IST)
વીમાઅંગે લોકોમાં જાગરૂકતા લાવવા માટે અને વીમો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે વીમા નિયમનકારી સંસ્‍થઆ ઈરડા દ્વારા સરકારને એવું સૂચન કરવામાં આવ્‍યું છે કે જેમ પ્રધાનમંત્રીની જનધન યોજના છે તેવી રીતે જન વીમા યોજના પણ શરૂ કરવી જોઇએ. ઇરડાના ચેરમેન ટી. એસ. વિજયને સોમવારે જણાવ્‍યું હતું કે લોકોમાં વીમા અંગે જાગરુકતા આવે તે માટે સરકારે પ્રયાસો હાથ ધરવા જોઇએ. મોદી સરકારે બેન્‍ક સેવાથી વંચિત ૭.૫ કરોડ લોકોને બેન્‍ક સેવાનો લાભ આપવા માટે વર્ષે ઓગસ્‍ટમાં જનધન યોજનાની શરૂઆત કરી હતી. અત્‍યાર સુધી યોજના અંતર્ગત સાત કરોડ કરતાં વધારે ખાતાં ખૂલ્‍યાં છે.

   સરકારે ૨૬ જાન્‍યુઆરી સુધીમાં તમામ પરિવારોને યોજનામાં સમાવી લેવાનું લક્ષ્ય રાખ્‍યું છે. યોજના અંતર્ગત ખાતેદારોને રૂ. ૧ લાખનો અકસ્‍માત વીમો અને રૂ. ૩૦ હજારનો જીવનવીમો આપવાની જોગવાઈ કરાઈ છે.

   ઇરડાના ચેરમેન વિજયને વીમા કંપનીઓને એજન્‍ટો માટે લઘુત્તમ વેતન નક્કી કરવા અને રોજગારીની તકો પેદા કરવા માટે સલાહ આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે વીમા કંપનીના એજન્‍ટોને કમસે કમ રૂ. ૧૦ હજારનું લઘુત્તમ વેતન મળવું જોઇએ. હાલમાં દેશમાં જીવન વીમા અને સામાન્‍ય વીમા ક્ષેત્રે ૨૦ લાખ એજન્‍ટો કાર્યરત છે.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Show comments