મોદી સરકારની જનધન યોજનાથી ૮મી સપ્ટેમ્બર સુધી કુલ ૩.ર કરોડ ખાતા ખુલ્યા છેઃ આ ખાતામાં કુલ ૧૪૯૬.પ૧ કરોડ રૂપિયા જમા થઇ ચુકયા છેઃ આ હિસાબથી દરેક ખાતામાં સરેરાશ ૪૯પ રૂ. જમા થયા છેઃ આ ૩ કરોડ ખાતામાં ૧.૮૯ કરોડ ગ્રામીણ ક્ષેત્રમાં અને ૧.૧૩ કરોડ શહેરી વિસ્તારોમા ખુલ્યા છેઃ વડાપ્રધાને ર૮મી ઓગષ્ટે આ યોજના ખુલ્લી મુકી હતીઃ આ યોજના હેઠળ શૂન્ય બેલેન્સથી ખાતુ ખોલવામાં આવે છેઃ આ યોજનાનો લાભ નવુ ખાતુ ખોલ્યા વગર વર્તમાન ખાતેદારોને પણ આપી શકાય તેમ છે.