ટાટા ગ્રુપ અને ઈંડિયન હોટેલ્સના માલિક રતન ટાટા મુંબઈના તાજ હોટેલ અને પેલેસ હોટેલમાં આતંકવાદી હુમલામાં થયેલા નુકસાનનો સરવાળો કરવા પહોચ્યા હતાં.
હોટલના અધિકારીઓ ટાટાને હોટલમાં થયેલા નુકસાન અને તાજી પરિસ્થિતિ અંગે જાણકારી આપી હતી.
જોકે અધિકારીક તપાસ હજી પ્રક્રિયામાં છે. 60 કલાક ચાલેલા ઓપરેશન બાદ હોટલમાં આતંકીઓને સમાપ્ત કરી બંધકોને છોડાવ્યા હતાં. ઈમારત હજી એનએસજીના હવાલે છે. જ્યારે હોટેલમાં ચિકિત્સા ટીમ પણ હાજર છે.