Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યારે શરદ પૂનમની રાત્રે લોથલનો વિનાશ થયો

Webdunia
શનિવાર, 15 ઑક્ટોબર 2016 (13:40 IST)
3190 વર્ષ પહેલા શરદ પૂનમની રાત્રિએ સૌરાષ્ટ્રના  લોથલનો વિનાશ થઇ જતા આ વેપાર ક્ષેત્રે અગત્યનું શહેર ઇતિહાસ બની ગયું હતુ અને સૌરાષ્ટ્રના સાગર તટે સંસ્કૃતિ પાંગરેલી તેનો અણધાર્યો અસ્ત થયો હતો. ભારતના અગ્રણી પુરાતત્વ શાસ્ત્રી એસ.આર. રાવના સંશોધન પ્રમાણે લોથલનો વિનાશ ઇ.સ.પૂર્વે 1200થી 1300 વર્ષ દરમિયાન થયો હતો.  સંવત 32 એટલે કે ઇ.સ.પૂર્વે 1179માં શરદ પૂનમની રાત્રે ભયાનક ધરતી કંપ આવેલો અને તેના કારણે ઉદભવેલા વિષમ વાતાવરણના કારણે ધોધમાર વરસાદ અને સમુદ્ર જળના અતિક્રમણના કારણે બંદરીય નગર લોથલ એટલે કે વલ્ભીઘરનો જળઘાતે સંપૂર્ણ વિનાશ થયો હતો. ત્યારથી લોથલ ક્ષેત્રના લોકો શરદ પૂનમની રાત્રિએ પાનના પડીયામાં દીવડાઓ પ્રગટાવી એ દીપકોને પાણીમાં મુકી લોથલના સ્વર્ગસ્થોને અંજલિ આપે છે.  સૌરાષ્ટ્રમાં આજથી સાડા ત્રણ હજાર વર્ષ પહેલા સાગર તટે એક અગ્ર અને આધુનિક સભ્યતા ગણી શકાય તેવા બંદરિય નગર લોથલ (મૂળ નામ વલ્ભીઘર) વહાણવટા અને વેપારથી ધમધમતું હતુ. તેનો વેપાર ઇરાન, ઇરાક, અરબ વિ.થી માંડીને આફ્રિકાના અનેક દેશો સાથે હતો. તેની જાહોજલાલી અને ત્યાંના વેપારીઓ કેટલા સમૃદ્ધ હશે તેની જાણકારી લોથલના ખોદકામ દરમિયાન મળેલા પાકી ઇંટોથી બાંધેલી ગટરો, આધુનિક નગર અને બંદરની રચના તથા સુવર્ણના ઘરેણા અને અસંખ્ય સમૃદ્ધ અવશેષો પરથી મળે છે

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments