Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચેકપોસ્ટ કૌભાંડનો રેલો આરટીઓ અધિકારીઓ સુધી પહોંચ્યો

Webdunia
શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2016 (17:22 IST)
રાજયના 14 ચેકપોસ્ટ પર ખાનગી ડેટા ઓપરેટર અને સુપરવાઈઝર દ્વારા આચરવામાં આવતાં કૌભાંડનો રેલો આખરે આરટીઓ અધિકારીઓ સુધી પહોંચ્યો છે. એસીબીની તપાસમાં આરટીઓના સંખ્યાબંધ અધિકારીઓનાં નામો બહાર આવ્યાં છે. એટલું જ નહીં આઠ સુપરવાઈઝર અને ડેટા ઓપરેટરને એસીબી શોધી રહી છે.બીજી તરફ રિમાન્ડ પરના આરોપી જયેશ પટેલના પાટણ ખાતેની બેંકમાં તપાસ કરતાં 10 લાખ મળી આવ્યા હતા.જયારે વડોદરામાં વિપુલ અને જયેશના વડોદરામાં ખરીદેલા ફલેટોના દસ્તાવેજો મળી આવ્યા હતા. ચેકપોસ્ટો પર સરકારી બાબુઓ દ્વારા કેવી રીતે કૌભાંડ આચરવામાં આવતું હતું, તેનો ખાનગી અહેવાલ એસીબી સરકારને આગામી દિવસોમાં સોંપે તેવી શકયતાઓ છે.

એસીબીના જોઈન્ટ નિયામક ડો. સમશેરસિંગની સીધી સૂચના હેઠળ એસીબીના ઓપરેશન હેડ ટી.કે.પટેલની આગેવાની હેઠળ તપાસ માટે સાત ટીમ બનાવવામાં આવી છે.ચેકપોસ્ટ કૌભાંડમાં પકડાયેલા આઠ આરોપીઓની તપાસમાં કેટલીક ચોંકાવનારી માહિતી બહાર આવવા પામી છે.જેમાં જયેશ પટેલ અને વિપુલ દ્વારા ચેક પોસ્ટ પર મૂકવામાં આવેલા ડેટા ઓપરેટર અને સુપરવાઈઝરમાંથી આઠ જણા ચેકપોસ્ટ પરથી પસાર થતી ટ્રકોનાં નાણાં ઉધરાવતા હતા. આ નાણાં ચેકપોસ્ટ નજીક ખાનગી જગ્યાએ મૂકવામાં આવતી હતી.

આ રેકેટમાં આરટીઓના અધિકારીઓનાં નામો બહાર આવ્યાં છે.જો કે, એસીબીને એવી શંકા છે કે, જો અધિકારીઓનાં નામો જાહેર કરવામાં આવે તો નાસી જાય તેમ છે અથવા તપાસ પર અસર થઈ શકે તેમ છે. હાલમાં એસીબી એ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા આઠ સુપરવાઈઝર અને ડેટા ઓપરેટરને શોધી રહી છે. એસીબીના જોઈન્ટ ડાયરેકટર ડો.સમશેરસિંગે જણાવ્યું હતું કે, એસીબીના અધિકારીઓએ ગઈકાલે જયેશ પટેલના પાટણ ખાતેના ઘરે સર્ચ કરતા બેંકના દસ્તાવેજો મળ્યા હતા.જે બેકમાંથી 10 લાખ મળી આવ્યા હતા. જયારે જયેશ પટેલ અને વિપુલે વડોદરામાં ખરીદેલા બે ફલેટના દસ્તાવેજો મળી આવ્યા હતા.જેમાં કુલ 30 લાખનું રોકાણ કરવામાં આવ્યું હોવાનું બહાર આવેલ છે. ઉપરાંત જયેશની 15 લાખની એફડી મળી આવી છે.
આરટીઓ અધિકારીઓનાં નામો બહાર આવ્યાં છે. પરતુ હાલ નામો જાહેર કરી શકાય તેમ નથી. એસીબીને એવી શંકા છે કે, વિપુલ અને જયેશના લોકરમાંથી મહત્વના દસ્તાવેજો અને સોનું મળી શકે તેમ છે. એસીબીના અધિકારીઓ સરકારી પંચોને સાથે રાખીને ચાર લોકરોની તપાસ હાથ ધરનાર છે.  એસીબીને જયેશ પટેલના સાત,વિપુલના સત્તર ખાતાં સીઝ કર્યા બાદ તેમને બેંક દ્વારા કરેલી વ્યવહારોની તપાસ કરવા માટે બેંકના સ્ટેટમેન્ટ મગાવ્યાં છે. એસીબીએ બન્નેની ઓફિસમાંથી કબજે લીધેલાં 10 કમ્પ્યૂટર અને બે લેપટોપ એફએસએલમાં તપાસ માટે મોકલી આપ્યાં હતાં.જેની એફએસએલમાંથી માહિતી મેળવીને તપાસ હાથ ધરી છે. એસીબીના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ ચેકપોસ્ટ કૌભાંડની રકમ અબજો રૂપિયા ઉપર પહોંચી શકે તેમ છે. એસીબીના તપાસનીશ અધિકારીને ફલાઈંગ સ્કવોડની સંડોવણી અંગે પૂછતાં તેમને કહ્યુું કે,હાલમાં તપાસ ચાલી રહી હોવાથી કાંઈ કહી શકીએ તેમ નથી.

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments