Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમીની સાથે લીલા શાકભાજીનાં ભાવો પણ ગરમ લ્હાય જેવા થયા

Webdunia
મંગળવાર, 12 મે 2015 (17:47 IST)
શહેરમાં શાકભાજીના ભાવોમાં ગરમીની અસર દેખાઈ રહી છે. લીલા શાકભાજીના ભાવ ૫૦ ટકા જેટલા વધ્યા છે. આગ ઝરતા ભાવોએ ગૃહિણીઓના રસોડાના બજેટને ખોરવી નાખ્યું છે. અઠવાડિયા પહેલા ૧૫ રૂપિયે કિલો મળતા ટામેટાના ભાવ એકાએક ૬૦થી ૭૦ રૂપિયે પહોંચી જતા દાળ-શાક ને સલાડમાં ટામેટાની આંશિક બાદબાકી કરવાની નોબત આવી છે.

લીલા શાકભાજીના ભાવ પણ ભડકે બળી રહ્યા છે. ૪૦ રૂપિયે કિલો મળતા લીંબુનો ભાવ હાલમાં ૧૦૦ રૂપિયે પહોંચ્યો છે જ્યારે ૧૫ રૂપિયે કિલો પાલક ૩૫ રૂપિયે મળે છે. કોથમીર ૧૫થી ૨૦ રૂપિયે મળતી હતી જેના ભાવ હાલ ૫૦થી ૬૦ રૂપિયે પહોંચ્યા છે. મરચાના ભાવમાં ૩૫ રૂપિયાનો વધારો થયો છે. ૪૫ના કિલો મરચાં માર્કેટમાં ૮૫ રૂપિયે મળતા થયા છે. કાકડીનો ભાવ ૪૦ રૂપિયા હતો જે અત્યારે બમણા ભાવે એટલે કે ૮૦ રૂપિયે મળે છે. ફણસી અને ટીંડોરા ૫૦ રૂપિયે કિલો મળતા હતા જે હાલ ૯૦ રૂપિયે કિલો મળતા થયા છે ચોળીનો ભાવ પણ ૫૦ ટકાથી પણ વધુ વધ્યો છે.

૪૫ રૂપિયે કિલો મળતી ચોળી ૯૦થી ૧૦૦ રૂપિયે વેચાય છે. ગરમી પડવાને લીધે શાકભાજીના ભાવોમાં કૃત્રિમ ઉછાળો આવ્યો છે. આ સાથે સંકળાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે નાસિકથી શાકભાજી અને ટમેટા જરૂરિયાત પૂરતા ન આવતા તેની અછત સર્જાઈ છે અને બેંગલુરથી શાકભાજી અને ટમેટા મંગાવાઈ રહ્યા છે.

ઉનાળામાં આમેય લીલા શાકભાજી બજારમાં ઓછા મળે છે અથવા મોંઘાં મળે છે આ ઉનાળે પણ ગરમીનો પારો ઊંચે ચડતા શાકભાજીના ભાવનો પારો પણ ઊંચે ગયો છે. 

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments