Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમુક ટ્રેનો બાદ કરતા લાંબા રૂટની ટ્રેનો પ્રર્વવત્ શરૂ થઈ

Webdunia
શુક્રવાર, 28 ઑગસ્ટ 2015 (16:01 IST)
પાટીદાર અનામત આંદોલનના પગલે ફાટી નીકળેલાં તોફાનોના કારણે રાણીપ, ચાંદલોડિયા અન્ય સ્થળોએ પાટા ઊખડી જવાના પગલે અમદાવાદથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફનો રેલ વ્યવહાર બંધ થયો હતો જ્યારે કેટલીક ટ્રેનો ડાઇવર્ટ કરાઈ હતી તો કેટલીક ટ્રેનો અમદાવાદ સુધી અટકાવાઈ હતી. આજથી રેલ વ્યવહાર રેલવેતંત્રના ઝડપી સમારકામ બાદ શરૂ થઈ ચૂક્યો છે. ઉત્તર ગુજરાત તરફથી પેસેન્જર ડેમુ ૨ ટ્રેન અને બે એક્સપ્રેસ ટ્રેનને બાદ કરતાં લાંબા રૂટની તમામ ટ્રેનો પ્રર્વવત્ શરૂ થઈ ચૂકી છે જ્યારે બાન્દ્રા-ભાવનગરની આવતી અને જતી બંને ટ્રેનોને ભાવનગરના બદલે અમદાવાદ ખાતે અટકાવી દેવાશે.

રાજ્યભરમાં પાટીદાર આંદોલનને પગલે શરૂ થયેલા તોફાનોમાં એસ.ટી. કેટલીક બસોને આગ ચાંપી દેવાના બનાવો બાદ એસ.ટી. વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. ગઈ કાલે પરિસ્થિતિ અનુસાર લોકલ બસો દોડાવવાનું શરૂ કરાયું હતું. પરંતુ શાંતિનો માહોલ આજે જળવાઈ રહેતાં પુનઃ તમામ ઝોન, તમામ ડેપોની બસો, એક્સપ્રેસ બસો અને વોલ્વો બસ આજે નિયમિતપણે શરૂ કરી દેવાની સૂચના અપાઈ હોવાનું નિગમના સચિવ એ.ડી.દેસાઈએ જણાવ્યું હતું. માત્ર કરફયુગ્રસ્ત વિસ્તારોમાંથી ગાંધીનગરની સચિવાલય સુધીની પોઈન્ટ બસો દોડાવવામાં આવશે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments