Dharma Sangrah

સ્કીન કેર - ફેશિયલ સ્ટીમિંગથી ચહેરો નિખરે છે

Webdunia
ચહેરાને જો કોઇ નુકસાન વગર વધુ પૈસા ખર્ચ્યા વગર, આકર્ષક બનાવવો છે તો સ્ટીમિંગથી વધુ સારો માર્ગ બીજો કોઇ ન હોઇ શકે. ફેશિયલ સ્ટીમિંગથી ચહેરો નીખરે છે અને ગ્લો પણ આવે છે. આને તમે દિવસમાં કોઇપણ સમયે કરી શકો છો. તો આવો, જાણીએ સ્ટીમિંગના શું-શું ફાયદા છે...

શું છે સ્ટીમિંગ? -

આ વિધિમાં થોડી મિનટ માટે ચહેરા પર સ્ટીમ લેવામાં આવે છે. આ વિધિ કરવા માટે સ્ટીમરનો પ્રયોગ કરી શકાય છે કે પછી કોઇ વાસણ કે ડોલમાં ગરમ પાણી ભરી ટુવાલથી માથું ઢાંકીને ગરમ-ગરમ સ્ટીમ લઇ શકાય છે.

સ્ટીમિંગ કઇ રીતે પ્રભાવી હોય છે?

1. સ્કિનની સફાઈ - ત્વચાને સાફ-સ્વચ્છ રાખવાનો આ સૌથી સારો માર્ગ છે. જ્યારે તમે તમારા ચહેરાને સ્ટીમ કરો છો તો ગરમ વરાળ તમારી ડેડ સ્કિનને કાઢી નાંખે છે અને ચહેરાના રોમ છિદ્રોને શ્વાસ લેવામાં મદદ મળે છે. ચહેરા પર જેટલી ગંદકી અને ધૂળ-માટી રહે છે તે છિદ્રો દ્વારા બહાર નીકળી જાય છે.

2. બ્લેકહેડ અને વ્હાઇટહેટ દૂર કરો - જો ચહેરા પર બ્લેકહેડ અને વ્હાઇટહેડ થઇ ગયા છે તો તે પણ સ્ટીમિંગથી સાફ થઇ શકે છે. 5-10 મિનિટ માટે તહેરાને સ્ટીમિંગ કરો અને ચહેરાના બ્લેકહેટ અને વ્હાઇટહેડને સ્ક્રબરથી સાફ કરી લો. સ્ટીમથી ચહેરો નરમ પડે છે જેનાથી બ્લેડ-વ્હાઇટહેડ જડથી નીકળી જાય છે.

3. ખીલને દૂર રાખે - જ્યારે ત્વચાની અંદર તૈલિય ગ્રંથિ ગંદકીથી ભરાઇ જાય છે ત્યારે ખીલ થવાની વધુ સંભાવના રહે છે. આવામાં સ્ટીમિંગ કરી એ જામેલી ગંદકીને બહાર કાઢવામાં આવે છે જેનાથી તૈલિય ગ્રંથિ સારી રીતે કામ કરી શકે.

4. કરચલીઓ રોકાય છે - ચહેરા પર સ્ટીમ લેવાથી ચહેરા પર નમી આવી જાય છે અને ડ્રાય સ્કિન સુધરે છે. સાથએ જ જો સ્કિન લૂઝ પડી ગઇ છે તો પણ તે ટાઇટ થાય છે અને ડેટ સ્કિન પણ સાફ થાય છે, જેનાથી તમારી ત્વચા જુવાન દેખાય છે.

5. ખીલ થઇ ગયા હોય ત્યારે શું કરશો? - જો ચહેરા પર ખીલ થઇ ગયા છે તો તમારા ચહેરા પર 4-5 મિનિટ સુધી સ્ટીમ લો. આનાથી દાણામાં જમા પસ આરામથી દબાવવાથી નીકળી જશે. સ્ટીમ લીધા બાદ બરફના ક્યુબથી તમારા ચહેરા પર માલિશ કરો, આનાથી ખીલના ડાઘા-ધબ્બા દબાઇ જશે અને તમને બહુ જલ્દી ખીલમાંથી છુટકારો મળી જશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

જમ્મુ અને કાશ્મીરમાં ભારે ઠંડીએ હાહાકાર મચાવ્યો છે, ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગગડી ગયું

ફોન વાગે છે, પણ તમને સામેથી કોઈ અવાજ સંભળાતો નથી? આ રીતે સ્કેમર્સ પીડિતોને નિશાન બનાવે છે.

IPL Auction 2026 Live Updates: અનકેપ્ડ પ્લેયર પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર પણ થઈ ધનવર્ષા, CSK એ 14.20 કરોડમાં ખરીદ્યો

પ્રદૂષણ પ્રમાણપત્ર ન હોય તો ડીઝલ નહીં, પેટ્રોલ નહીં, વાહન B6 જપ્ત કરવામાં આવશે - દિલ્હી સરકારની મોટી જાહેરાત

એક બિલાડી કપડાં ધોવાના મશીનમાં ૧૦ મિનિટ સુધી ફરતી રહી, પણ બચી ગઈ. કેવો ચમત્કાર!

વધુ જુઓ..

ધર્મ

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

આગળનો લેખ
Show comments