Dharma Sangrah

બ્યુટી પાર્લર જતા પહેલા...

Webdunia
સોંદર્યની કોઈ નિશ્ચિત પરિભાષા નથી. દરેક વ્યક્તિની સુંદરતા આંકવાનો દ્રષ્ટિકોણ જુદો જુદો હોય છે. કોઈ આંખોમાં કોઈ તીખી નાકમાં , કોઈ ગોરા રંગમાં તેને વર્ણિત કરે છે. થોડા શબ્દોમાં કહી શકાય કે આંખોને જે ગમે અને વ્હાલુ લાગે એ જ સૌદર્ય છે.

સુંદરતા માટે ઘણા પ્રકારના ક્રીમ, સુગંધી તેલ, જડી બુટ્ટીઓનો ઉપયોગ થતો રહ્યો છે. વર્તમાન સમયમાં એ જ બધી વસ્તુઓનુ પરિષ્કૃત રૂપ બ્યુટી પાર્લરમાં જોવા મળે છે. કિંતુ આજે પણ પાર્લરને લઈને ઘણા લોકોના મનમાં ઘણી માન્યતાઓ છે.

N.D
એક માન્યતા એ છે કે બ્યુટીપાર્લર ફાલતુ ખર્ચ છે, શ્રીમંતોનો શોખ અને સમયની બરબાદી છે. હકીકત એ છે કે નિપુણ લોકોના હાથનો સાથ નારી સૌદર્યની સાળ-સંભાળ નિયમિત રૂપે થવાથી નીખરે છે. આ એક હકીકત છે કે એક નિશ્વિત વય પછી ચહેરાની ત્વચા લટકી જાય છે. વાળ બેજાન અને શુષ્ક થઈ જાય છે. ચહેરા પર કરચલીઓ અને આંખો નીચે બ્લેક સ્પોટ આવી જાય છે. બ્યુટી પાર્લરમાં નિયમિત રૂપે મસાજ, ફેશિયલ, ક્લીનઅપ, બ્લીચ, હિના વગેરે પ્રક્રિયાઓમાંથી પસાર થવાથી ચહેરા પર ક્રાંતિ, ત્વચામાં ચમક અને વાળમાં રોનક આવી જાય છે. ખાસ કરીને વર્કિંગ વુમન પોતાના પર વધુ ધ્યાન નથી આપી શકતી, પરંતુ બ્યૂટી પાર્લરમાં થોડો સમય તેમની માટે વરદાન સાબિત થાય છે. તેઓ આવતા થોડા દિવસો માટે ફ્રેશ થઈ જાય છે અને તેમની અંદર એક આત્મવિશ્વાસ જાગે છે.

એટલુ જરૂર છે કે બ્યુટીપાર્લરમાં જતા પહેલા થોડી વાતો વિશે માહિતી આપણને હોવી જોઈએ. જેમ કે -

- ત્વચા કેવી છે ?
- વાળ પર કેવી સ્ટાઈલ આપણને સૂટ થશે
- બ્યુટીશિયન પ્રશિક્ષિત અને એક્સપર્ટ છે કે નહી ?
- બ્યુટીપાર્લરના રેટ વ્યાજબી છે કે પછી આપણા પૈસા ફાલતૂ વેડફાઈ રહ્યા છે ?
આ બધી માહિતી મેળવ્યા પછી જ બ્યુટીપાર્લરમાં પગ મૂકો.

વિશ્વાસ કરો કે યોગ્ય પાર્લર તમારા સૌદર્યના રક્ષક છે. આજે આ બ્યુટીપાર્લરનો જ કમાલ છે કે શોપિંગ મોલ, બસોમાં મુસાફરી કરતી, ઓફિસમાં કામ કરતી સ્ત્રીયો આટલી ભાગદોડ ભરી જીંદગીમાં પણ સુંદર દેખાય છે. આજકાલ સાધારણ દેખાવવાળો ચહેરો સજી-ધજીને સ્માર્ટ લુક આપવા લાગ્યો છે. ઘણી ટ્રીટમેંટ હર્બલ હોય છે જેનાથી કોઈ નુકશાન થતુ નથી.

Gold-Silver Prices: રેકોર્ડ ઊંચાઈ પરથી ગબડ્યો સોનાનો ભાવ, શું હાલ સોનું ખરીદવાનો યોગ્ય સમય છે ?

India Squad Announcement: ટી-20 વર્લ્ડ કપ 2026 ટીમમાંથી શુભમન ગિલ કેમ થયો બહાર, જાણો ઈનસાઈડ સ્ટોરી

ફોન પર વાત કરતા હોટલના ખોટા રૂમમાં ઘુસી ગઈ નર્સ, પછી આખી રાત તેની સાથે જે થયું તે સાભળીને કંપી જશો

ટી20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, આ ખેલાડીઓ પર ખિતાબ બચાવવાની જવાબદારી

બાંગ્લાદેશની યુનૂસ સરકારની મોટી એક્શન, હિંદુ યુવક દિપૂ ચન્દ્ર દાસની હત્યા મામલે સાત લોકોની ધરપકડ

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

Show comments