Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

Webdunia

Vishvambhari akhil vishwa tani janeta,

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,

વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા,

દુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧

 

ભૂલો પડી ભવરણે ભટકું ભવાની,

સૂઝે નહીં લગીર કોઇ દિશા જવાની,

ભાસે ભયંકર વળી મનમાં ઉતાપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૨

 

આ રંકને ઉગરવા નથી કોઇ આરો,

જન્માંધ છું જનની હું ગ્રહું બાંહ તારો,

ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૩

 

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું

આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,

કોને કહું કઠણ યોગ તણો બળાપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૪

 

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,

આડંબરે અતિ ઘણો મદથી બકેલો,

દોષો થકી દુષિતના કરી માફ આપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૫

 

ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું,

ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,

શ્રધ્ધા થકી નથી કર્યા તવ નામ જાપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૬

 

રે રે ભવાની બહુ ભુલ થઇ છે મારી,

આ જિંદગી થઇ મને અતિસે અકારી,

દોષો પ્રજાળી સઘળા તવ નામ છાપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૭

 

ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો,

બ્રહ્માંડમાં અણુ અણુ મહીં વાસ તારો,

શક્તિ ન માપ ગણવા અગણિત માપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૮

 

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,

ખોટો ખરો ભગવતી પણ હું છું તમારો,

જાડયાંધકાર દૂર કરી સદ્ બુદ્ધિ આપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૯

 

શીખે સુણે રસીક છંદ જ એકચિત્તે,

તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે,

વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧૦

 

શ્રી સદ્ગુરૂ શરણમાં રહીને ભજુ છું,

રાત્રી દિને ભગવતી તુજને જપું છું,

સદ્ ભક્ત સેવક તણા પરિતાપ કાપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧૧

 

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની,

ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,

સંસારનાં સકળ રોગ સમુળ કાપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧૨

 

તારા સિવાય જગમાં નથી કોઇ મારું,

સાચા સગા ભગવતી મે બહુ વિચાર્યું,

ભુલ કદાચ ભવ પાસ તણા પ્રસંગે,

માગું ક્ષમા ભગવતી આ પ્રસંગે ... ૧૩

 

 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

Jai Adhya Shakti - જય આદ્યા શક્તિ આરતી (જુઓ વીડિયો)

Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

આગળનો લેખ
Show comments