Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુધવારે રજુ થનારુ પરિણામ કોનું ભાવિ ગઢશે ?

Webdunia
મંગળવાર, 1 ડિસેમ્બર 2015 (11:33 IST)
ગુજરાતમાં બે તબક્કે સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું. હવે પરિણામ આડે  થોડા કલાક જ બાકી છે. બુધવારનો સુરજ ગુજરાતની રાજકીય દિશા નક્કી કરનારો દિવસ ઉગાડશે. 6 મહાનગરો, 230 તાલુકા પંચાયતો, 31 જિલ્લા પંચાયતો અને 6 નગરપાલિકાઓની ચૂંટણીનુ પરિણામ ગુજરાતના રાજકારણ પર વિશેષ અસર કરશે. બુધવારના પરિણામથી સરકારને સત્તા ક્ષેત્રે સત્તાવાર રીતે કોઈ ફેર પડતો નથી પરંતુ રાજકીય રીતે પરિણામ આનંદીબેન પટેલની સરકારના ભાવિને ગાઢ રીતે અસર કરશે. વિધાનસભાના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા તથા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને જેની મુદત પુરી થઈ ગઈ છે તે ભાજપના પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ ફળદુ માટે વ્‍યકિતગત રીતે અને પક્ષની રીતે પરિણામ રસપ્રદ બનશે.
 
   ગુજરાતમાં આનંદીબેન પટેલે ધુરા સંભાળ્‍યા પછી સમગ્ર રાજ્‍યના તમામ જિલ્લામાં જનાદેશ માગવાનો હોય તેવી આ પ્રથમ ચૂંટણી હતી. ભાજપ અને સરકારે વિકાસના મુદ્દા પર મત માગ્‍યા હતા. અનામત આંદોલન, 50  ટકા મહિલા અનામત, નવુ સિમાંકન વગેરે દ્રષ્‍ટિએ બુધવારે પ્રથમ વખતે જનાદેશ જાહેર થશે. ભાજપ અને કોંગ્રેસ બન્નેએ રાબેતા મુજબ જીતના દાવા કર્યા છે.
 
   પાટીદાર ફેકટર આ ચૂંટણીમાં ખૂબ ગાજયુ છે. ગાજેલા મેઘ કેવા વરસે છે? તે મત મશીન ખુલે ત્‍યારે જ ખબર પડશે. ગઈ તા. 22 મીએ રાજકોટ, જામનગર, ભાવનગર, સુરત, વડોદરા અને અમદાવાદ તે 6  મહાનગરોમાં સરેરાશ 50 ટકા જેટલુ મતદાન થયેલ. ગઈકાલે નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતોમાં સરેરાશ 60 ટકાથી વધુ મતદાન થયુ છે. ઉંચા મતદાનને ભાજપ પોતાના તરફી ગણાવે છે. કોંગ્રેસે લોકોનો આક્રોશ મત સ્‍વરૂપે મત મશીનમાં કેદ થયાનો અને બુધવારે ભાજપની સામે પ્રગટ થવાનો દાવો કર્યો છે.
 
   કોંગ્રેસે પાટીદાર આંદોલન ઉપરાંત મોંઘવારી, ભ્રષ્‍ટાચાર, ખેડૂતોને પાણી, વીજળી, ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ, કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતિ વગેરે મુદ્દા ચગાવ્‍યા હતા. પાટીદારોને સરકાર વિરૂદ્ધ મતદાન કરવા આંદોલનકાર આગેવાનોએ ખુલ્લુ આહવાન કર્યુ હતું. સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીનું આ વખતનું પરિણામ ભાજપ-કોંગ્રેસ, પાટીદાર ફેકટર વગેરેનું ભાવિ નક્કી કરનારૂ બની રહેશે. જો ભાજપને અપેક્ષા મુજબ સત્તા મળે અથવા સામાન્‍ય નુકશાન થાય તો આનંદીબેન પટેલ વધુ મજબુતાઈથી બહાર આવશે. કોંગ્રેસ ધારે છે તે રીતે ગુજરાતમાં ભાજપ વિરોધી વાવાઝોડુ ફુંકાઈ અને ભાજપ મોટા પ્રમાણમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમા સત્તા ગુમાવે તો આનંદીબેન સામે ભાજપમા અંદરથી જ અવાજ ઉઠવાની શકયતા વધી જશે. બિહાર વિધાનસભાની ચંૂટણીના પરિણામ પછી ગુજરાતમાં કોંગ્રેસ પોતાના માટે અચ્‍છે દિન આવવાની આશાભરી રાહ જોઈ રહી છે. બુધવારે જાહેર થનાર પરિણામ વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીના ટ્રેલર સમાન બની રહેશે.

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments