Webdunia - Bharat's app for daily news and videos

Install App

રત્નકલાકારો માટે કંઈ નહીં !

વેબ દુનિયા
બુધવાર, 18 ફેબ્રુઆરી 2009 (20:58 IST)
વિશ્વમાં મંડાયેલી આર્થિક મંદીની સીધી અસર રાજ્યના ઝગમગતા શહેર સુરત ઉપર સીધી રીતે વર્તાઇ છે. અહીનો હીરા ઉદ્યોગ ઠપ થયો છે. રોજગારી છીનવાતાં રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે સરકાર માટે તેમને સહાય કરવાની કોઇ યોજના નથી.

ગૃહમંત્રી અમિત શાહે આજે સભ્ય નિરંજનભાઈ પટેલના લેખિત પ્રશ્નમાં જણાવ્યું હતું કે, રાજયમાં હીરા ઊદ્યોગની મંદીમાં સપડાયેલા 20 રત્ન કલાકારોએ બેકારી અને આર્થિક તંગીના કારણે ગત વર્ષ દરમિયાન આત્મહત્યા કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આત્મહત્યા કરી છે તે રત્નકલાકારોના પરિવારોને આર્થિક મદદ કરવા માટે સરકારની હાલ કોઈ યોજના અમલમાં નથી.

પરંતુ જે જીલ્લામાં હીરા ઊદ્યોગ વિકાસ પામેલ છે તે જીલ્લામાં સેમીનાર, પ્રદર્શન, હેલ્થ કેમ્પ ઓપન હાઊસ ટ્રેનગ પ્રોગ્રામ વગેરે યોજવામાં આવે છે. વર્ષ 2008-09માં આ અંગે રૂપિયા 23.50 લાખનો ખર્ચ કરવામાં આવેલ છે. આ ઊદ્યોગના વિકાસ માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Show comments