Webdunia - Bharat's app for daily news and videos
Install App
✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ભાજપ ઈલેક્શન મોડમાં, આગામી 15 દિવસમાં આ કેન્દ્રીય મંત્રી ગુજરાતમાં કરશે ચૂંટણી પ્રચાર
Webdunia
ગુરુવાર, 6 ઑક્ટોબર 2022 (11:40 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આગામી 15 દિવસ સુધી કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરશે. આવતી કાલે (ગુરુવાર) મીનાક્ષી લેખી ગુજરાતના પ્રવાસે આવશે. એટલું જ નહીં, સ્મૃતિ ઈરાની પણ ચૂંટણીના વર્ષમાં ગુજરાત ફરીથી આવશે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 ઓક્ટોબરે જામનગરથી સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9, 10 અને 11 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે આવશે અને જાહેર સભા સંબોધશે.ચૂંટણીને લઈ આગામી 15 દિવસ સુધી કેન્દ્રિયમંત્રીઓ ગુજરાતમાં પ્રચાર કરશે. જેના ભાગરૂપે મીનાક્ષી લેખી, કૃષ્ણપાલ ગુર્જર ગુજરાતના પ્રવાસે આવશે. સ્મૃતિ ઈરાની પણ ફરી ગુજરાત આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. આગામી 15 દિવસના કેન્દ્રિયમંત્રીના પ્રવાસનું ભાજપ દ્વારા આયોજન કરાયું છે. જેમાં કેન્દ્રિયમંત્રી કૃષ્ણપાલ ગુર્જર પણ ગુજરાતન પ્રવાસે આવશે. કેન્દ્રિયમંત્રી મહેન્દ્ર મુજપરા કોળી સમુદાય વિસ્તારમાં પ્રવાસ કરશે. કેન્દ્રિયમંત્રી મુંજપરા તળાજા અને ભાવનગર ગ્રામીણનો પ્રવાસ કરશે. આગામી દિવસોમાં સ્મૃતિ ઇરાની વધુ એક પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે. આવતી કાલે કેન્દ્રિયમંત્રી મીનાક્ષી લેખી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેમના પ્રવાસના કાર્યક્રમની વાત કરીએ તો મીનાક્ષી લેખી તાપી, વ્યારા અને નિઝરનો પ્રવાસ કરશે.કેન્દ્રીયમંત્રી બિ.એલ વર્મા મધ્ય ગુજરાતનો પ્રવાસ કરશે. બિ.એલ વર્મા મહેમદાવાડ અને મહુધા વિધાનસભાનો પ્રવાસ કરશે. ત્યારબાદ કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી વીરેન્દ્ર સિંહ કલોલ વિધાનસભનો 7 ઓક્ટોબરે પ્રવાસ કરશે. મહિલા બાલ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની 7 ઓક્ટોબરે પેટલાદ અને સોજીત્રા વિધાનસભાનો પ્રવાસ કરશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી નિરજન જ્યોતિ 7 ઓક્ટોબરે વિરમગામ અને ધોળકા વિધાનસભાનો પ્રવાસ કરશે.જ્યારે કેન્દ્રીય સંરક્ષણ અને પર્યટન મંત્રી અજય ભટ્ટ 7 ઓક્ટોબરે મોડાસા વિધાનસભાનો પ્રવાસ કરશે. શ્રમ અને રોજગાર મંત્રી ભુપેન્દ્ર યાદવ 7 ઓક્ટોબરે સાવરકુંડલા અને રાજુલા વિધાનસભાનો પ્રવાસ કરશે. કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજ્જુ મહુવા વિધાનસભા બેઠકનો 7 ઓક્ટોબરે પ્રવાસ કરશે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
આજથી 2 દિવસ કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતમાં, તમામ જિલ્લા કલેક્ટરો-પોલીસ વડાઓ સાથે કરશે બેઠક
પ્રથમ વખત ઓવૈસીની પાર્ટીએ ગુજરાતમાં હિન્દુ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા
રાજસ્થાનમાં રાજકીય ઘમસાણ, અશોક ગેહલોત અને સચીન પાઇલટના સમર્થકો સામસામે
ગુજરાત વિધાનસભા ચૂંટણી: ગુજરાતની ચૂંટણીમાં જેમની પર 'આપ' દાવ રમી રહી છે તે રાઘવ ચઢ્ઢા કોણ છે?
શું અશોક ગેહલોત સીએમ પદ છોડશે? સ્પષ્ટ કર્યું... હવે નવી પેઢીને તક મળે
વધુ જુઓ..
જરૂર વાંચો
Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ
ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ
Akshaya Tritiya Prasad: પ્રસાદમાં ઝટપટ તૈયાર કરો દાણાદાર મોહનથાળ
સિંધી કોકી બનાવવાની રેસીપી Sindhi koki recipe
ખોરાક બની રહ્યો છે બિમારીઓનું મોટું કારણ, જાણો તમારીથાળીમાં એક દિવસમાં કેટલી રોટલી, શાકભાજી અને ફળ હોવા જોઈએ
વધુ જુઓ..
નવીનતમ
Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો
શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ
રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો
‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે
Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક
આગળનો લેખ
ગુજરાતમાં ચૂંટણી પહેલા ચાર દિવસમાં ભાજપના 11 કેન્દ્રીય મંત્રીઓ 24 વિધાનસભા બેઠકો ખૂંદશે
Show comments