Webdunia - Bharat's app for daily news and videos

Install App

કૉંગ્રેસનો ગુજરાત સરકાર પર ઉત્તર પ્રદેશની જેમ 'બુલડોઝર રાજકારણ' કરવાનો આરોપ

Webdunia
રવિવાર, 24 એપ્રિલ 2022 (10:45 IST)
ઇકૉનૉમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર શનિવારે ગુજરાતમાં કૉંગ્રેસનું પ્રતિનિધિમંડળ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યું હતું. આ મુલાકાતમાં તેમણે રાજ્યમાં કોમવાદના આધારે ધ્રુવીકરણ કરી રહેલાં તત્ત્વો અને 'અસંમતિના અવાજને દાબવા સરકારી મશીનરીના ઉપયોગ' સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.
 
તેમણે ગુજરાત સરકાર પર ઉત્તર પ્રદેશની જેમ 'બુલડોઝર રાજકારણ' કરવાનો આરોપ લગાવ્યો હતો.
 
કૉંગ્રેસના પ્રતિનિધિમંડળમાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા, ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના રઘુ શર્મા, અન્ય વરિષ્ઠ નેતાઓ અને કૉંગ્રેસના ધારાસભ્યો વગેરે સામેલ હતા.
 
તેમણે પોતાની ફરિયાદ બાબતે રાજ્યપાલને આવેદન આપ્યું હતું.
 
કૉંગ્રેસના આવેદનપત્રમાં લખાયું હતું કે, "રાજ્યમાં કોમવાદને વેગ આપી ધ્રુવીકરણના પ્રયત્નો કરાઈ રહ્યા છે. તેમજ જે સરકાર પર કાયદો અને વ્યવસ્થાની જાળવણીની જવાબદારી છે તે જ ગેરબંધારણીય વર્તન કરી રહી છે."

સંબંધિત સમાચાર

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments