Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દિક પટેલ બાદ વધુ 4 કોંગી નેતાઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે

Webdunia
સોમવાર, 6 જૂન 2022 (11:11 IST)
હાર્દિક પટેલનું ભાજપીકરણ થયા બાદ હવે વધુ 4 કોંગ્રેસના નેતાઓ કમળના સહારે પોતાની રાજકીય કારકિર્દી આગળ ધપાવે તે પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. ભાવનગર વિસ્તારના અને કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા બે મોટાં નેતાનો ભારતીય જનતા પાર્ટી આગામી સમયમાં પક્ષમાં સમાવેશ કરવા જઈ રહી છે. બીજી તરફ પ્રાંતિજ વિધાનસભા તથા દહેગામ વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને પણ ભાજપમાં લાવવાના પ્રયાસો હાલ ચાલી રહ્યાં છે.

જે ચાર નેતાઓનું ભાજપીકરણ કરવાના પ્રયાસ થઈ રહ્યાં છે, તેમાં બે પૂર્વ ધારાસભ્ય પૈકી દહેગામના કામિનીબા રાઠોડ અને પ્રાંતિજના મહેન્દ્રસિંહ બારૈયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાવનગર મનપાના પૂર્વ શહેર પ્રમુખ રહેવાની સાથે-સાથે વર્ષ 2012માં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી સંભવિત આંતરિક જૂથબંધીને કારણે જેમની હાર થઈ હતી, તેવા રાજેશ જોષી આગામી સમયમાં કમળનો સાથ ઝાલશે.ભાવનગરના વધુ એક નેતા કે જેઓ ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હોવાની સાથે-સાથે કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલ બાદ ક્ષત્રિય સમાજના કોઈ મોટાં માથાં તરીકે ઓળખાતાં હોય એવા સંજયસિંહ માલપર (ગોહિલ)નો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments