Webdunia - Bharat's app for daily news and videos

Install App

આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ 182 સીટ પર ચૂંટણી લડશે

Webdunia
રવિવાર, 5 જૂન 2022 (15:31 IST)
એએનઆઈના હવાલે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ એક અહેવાલમાં લખ્યું છે કે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ 182 સીટ પર ઉમેદવારો ઊભા રાખશે.
 
દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ 03 જૂને માહિતી આપી હતી કે આમ આદમી પાર્ટી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ સીટો પરથી ચૂંટણી લડશે.
 
મીડિયા સાથે વાત કરતા સિસોદિયાએ કહ્યું હતું કે "અમે ગુજરાતની તમામ સીટો પર ચૂંટણી લડીશું. હવે ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે, હવે તેમની પાસે વિકલ્પ છે."
 
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાછાપરી બે વાર ગુજરાતની મુલાકાત લીધી હતી.
 
પ્રથમ મુલાકાતમાં ભરૂચમાં આદિવાસીઓને સંબોધ્યા હતા, જ્યારે બીજી મુલાકાત દરમિયાન રાજકોટમાં સભા સંબોધી હતી. કેજરીવાલની રાજકોટ મુલાકાત સૌરાષ્ટ્રના પાટીદારોને આકર્ષવા માટે યોજાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
 
તે પહેલાં દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતની શાળાઓની મુલાકાત લીધી હતી અને શિક્ષણના કથળેલા સ્તરને લઈને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.

સંબંધિત સમાચાર

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments