Dharma Sangrah

નાતાલના દિવસે મોદીની ભવ્ય શપથવિધિ

શ્રી વાજપેયીના જન્મદિને મુખ્યમંત્રી મોદીનો શપથવિધિ સમારોહ

Webdunia
સોમવાર, 24 ડિસેમ્બર 2007 (22:12 IST)
W.DW.D

અમદાવાદ (વેબદુનિયા) અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 25મીએ મંગળવારના રોજ ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સરકારની શપથવિધિ બપોરે 12.30 કલાકે થશે. આજની ટાઉનહોલ ખાતેની બેઠકમાં વિધાનસભા ભાજપ પક્ષના નેતા તરીકે નરેન્દ્ર મોદીની વરણી કરતો ઠરાવ પસાર થયો હતો. આ ઠરાવનો પત્ર લઈને આવતીકાલે રાજ્યપાલને ભાજપને બહુમતી મળી હોઈને સરકાર રચવાનું આમંત્રણ આપવા વિનંતી કરાશે. રાજ્યપાલ તેનો સ્વીકાર કરીને વિધાનસભા ભાજપના નેતા નરેન્દ્ર મોદીને સરકાર રચવાનું આમંત્રણ આપશે. શપથવિધિ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહેશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના ગઈકાલે જાહેર થયેલા પરિણામોએ સાબિત કરી દીધું છે ક ે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ નહીં પરંતુ નરેન્દ્ર મોદીના વન મેન શોએ જીત હાંસલ કરી છે. મોદીના પ્રભાવે અન્ય પક્ષોના ઉમેદવારોને ચારે બાજૂથી માત આપી દીધી છે. મોદીની ગુજરાત લેજીસ્લેટીવ પાર્ટીના નેતા તરીકે નિમણૂંક પણ થઈ ગઈ છે. જેના અનુસંધાનમાં હવે મોદીની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આવતીકાલે શપથવિધિ થનારી છે.

મોદીના પ્રભુત્વમાં ભારતીય જનતા પક્ષે ગુજરાત વિધાનસભામાં બે તૃતીંયાશ જેટલી જંગી બહુમતી મેળવી છે. જે સાબિત કરે છે કે ગુજરાતની જનતા નરેન્દ્ર મોદીને જ ફરીથી મુખ્યમંત્રી તરીકે જોવા ઈચ્છે છે. 57 વર્ષના મોદીને આવતીકાલે બપોરના 12.30 વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રાજયપાલ નવલકિશોર શર્મા શપથ ગ્રહણ કરાવશે.
PTIPTI

હકીકતમાં આ શપથવિધી પહેલા 27મી ડીસેમ્બરે યોજાનાર હતી પરંતુ પક્ષના વરિષ્ઠ નેતા અટલ બિહારી બાજપાયીના જન્મદિવસના કારણે આ સમારંભ આવતી કાલે યોજાનારો છે. એક પરંપરા અનુસાર આજે નવા ચૂંટાયેલા તમામ પક્ષના વિધાનસભ્યો સર્વસંમતિએ મોદીનો પોતાના નેતા તરીકે સ્વીકાર કરશે.

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

શેખ હસીના વિરુદ્ધ હિંસક આંદોલનના નેતા ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં ફાટી હિંસા, અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન

કોણ છે સારા રિઝવી ? ગુજરાતની પહેલી મુસ્લિમ મહિલા આઈપીએસ જે હાલ જમ્મુ-કાશ્મીરમાં નિભાવશે ડ્યુટી

Gujarat Politics: મિશન 2027 માં લાગ્યુ છે આમ આદમી પાર્ટી નુ 'ઓપરેશન ઝાડૂ', ગુજરાતમાં બીજેપી-કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો

ટુકડા-ટુકડા કરી અંદર જ મુકી છે લાશ...ગાજિયાબાદમાં મકાન માલિકની હત્યા કરનારા ભાડૂઆતની કબૂલાત

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

Dhanurmasam 2025- ધનુર્માસ પ્રારંભ, ધનુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Show comments