Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે મોદીનું પણ મંદિર....

Webdunia
- જનકસિંહ ઝાલા
એક એવું મંદિર જ્યાં કોઈ દેવી દેવતા નહી પરંતુ એ વ્યક્તિની પૂજા કરવામાં આવે છે જેણે માત્ર પોતાના જોરે ગુજરાતમાં ફરીથી ભાજપનો વાવટો લહેરાવ્યો.

W.D
આ મંદિર શિવ મંદિર, ગણેશ મંદિર, દુર્ગા મંદિર કે પછી હનુમાન મંદિરના નામથી નહી પરંતુ 'મોદી મંદિર'ના નામથી ઓળખાય છે. આ મંદિરમાં ભગવાન તરીકે સ્વયં નરેન્દ્ર મોદીની તસવીરો બિરાજમાન છે. અહીં દરરોજ સવારે ઢોલ-નગારાઓ સાથે મોદીની પૂજા-અર્ચના થાય છે.

ગુજરાતના વાંકાનેર તાલુકાનું ભોજપરા ગામ કદાચ આ ભારતનું પ્રથમ એક એવું ગામ હશે જ્યાં વાદીઓની વસ્તી છે. આ ગામમાં વાદીઓન 111 પરિવાર છે. અહીં નાગની બીન વડે જ દિવસની શરૂઆત થાય છે.

સવારના પહોરમાં જ ઘરનો મોભી એક હાથમાં બીન અને ખભ્ભે નાગની ટોકરી રાખીને પોતાનું અને પોતાના સંતાનોનું પેટ ભરવા માટે નિકળી પડે છે.

સૌરાષ્ટ્રમાં 'વાદી વસાહત' નામથી પ્રચલિત આ વાદીઓ આશરે દસ વર્ષ પહેલા પોતાના પરિવારોને લઈને અહીં સ્થાયી થયાં હતાં. એ સમયે તેમની પાસે રહેવા માટે છત પણ નથી હતી. તેઓએ અહીં તંબુ તાણીને પોતાનું જીવનધોરણ શઊ કર્યું.

તેઓએ દરેક ઋતુઓ અને કઠણાઈઓનો સામનો કર્યો. તેમની આ હાલત જોઈને ત્યાંના સ્થાનીય લોકોના મનમાં દયા આવી. તેઓએ આ વાદીઓની મદદ માટે મોદી સરકાર સામે રજૂઆત કરી. સરકારે પણ તેમની મદદ માટે પ્લોટ્સની ફાળવણી કરી અંતે તંબૂમાં રહેનારા આ વાદી સમાજને માથે છત મળી.

સરકારની મદદથી અહીં વીજળી-પાણીની સુવિધાઓ અને બાળકો માટે સ્કૂલનું નિર્માન કરવામાં આવ્યું. કોઈ માની પણ ન શકે કે, નાગ અને વિચ્છી પકડનારા આ વાદીઓના બાળકો હવે બીન વગાડવાની સાથોસાથ કોમ્પ્યુટર પણ ચલાવે શકે છે. જેના માટે તેઓ ગુજરાત અને ખાસ કરીને નરેન્દ્ર મોદીના આભારી છે. આ લોકોની આંખોમાં મોદી કોઈ રાજનેતા નહીં પરંતુ એક ભગવાન છે.

તેમનું કહેવું છે કે, 'મોદી જ અમારો ભગવાન છે' તેઓ માને છે કે, મોદીના કારણે જ આજે અમારા બાળકો અહીં સુધી પહોંચ્યાં છે. આ લોકો દરરોજ સવારે નરેન્દ્ર મોદીને નમન કરીને પોત-પોતાના કામે નિકળી પડે છે.

મોદીનું આ મંદિર હજુ નાનું છે અને તેઓ તેને મોટુ બનાવવા ઈચ્છે છે. વાદીઓ કહેં છે કે, મંદિર નાનું હોય તો શું થયું મોદી પ્રત્યે અમારી આસ્થા તો મોટી જ છે.

તસવીર : ભાટી.એન(વાંકાનેર)

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Show comments