Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમરેલીથી 24 ઉમેદવારોએ ફોર્મ પાછું ખેચ્યું

માજી કેન્દ્રીય મંત્રી સ્વ.મનુભાઇના પુત્રએ ફોર્મ ખેચ્યું

Webdunia
સોમવાર, 24 ડિસેમ્બર 2007 (19:34 IST)
અમરેલી (એજંસી) ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય ગઢ ગણાતા અમરેલી જિલ્લાની કુલ 6 બેઠકોમાં 72પૈકી 24 ઉમેદવારોએ ગઇકાલે ફોર્મ પાછા ખેંચી લેતા હવે 47 ઉમેદવારો મેદાનમાં લડશે.

અમરેલીથી પ્રાપ્ત માહિતી મુજબ લાઠી બેઠક પર અગાઉ અપક્ષ ઉમેદવાર આંબાભાઈ સવજીભાઈ કાકડીયાએ ઉમેદવારી ફોર્મ પાછું ખેચ્યું હતું. યાદી મુજબબાબરામાંથી 3, લાઠીમાંથી 5, અમરેલીમાંથી 3, ધારીમાંથી 4, રાજુલામાંથી 6 અને સાવર-કુંડલામાંથી 3 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા હતા.

લાઠી બેઠક પર કોંગ્રેસે ધારાસભ્ય બેચરભાઈ ભાદાણીને ટિકિટ આપતા દામનગરના પીઢ કોંગ્રેસી અગ્રણી હરજીભાઈ નારોલાએ અપક્ષ તરીકે ઝૂકાવ્યું છે. તેમને ફોર્મ પાછું ખેંચી લેવા માટે સમજાવવાના અનેક પ્રયાસો નિષ્ફળ નિવડયા હતા. હરજીભાઈ નારોલા લાઠી-લીલિયા અને દામનગર પંથકમાં સારું એવું વર્ચસ્વ ધરાવે છે.

અગાઉ નામાંકન પર્ચાની ચકાસણી હાથ ધરાતા 129 પૈકી 57 ફોર્મ રદ થયા હતા અને 72 ઉમેદવારોના નામાંકનપત્રો માન્ય રાખવામાં આવ્યા હતા. પાછા ખેંચાયેલા 24 પૈકી 23 અપક્ષ અને 1 બસપાનાં ઉમેદવારનો સમાવેશ થાય છે. મુખ્ય વાત એ છે કે, ધારી બેઠક પર ટિકિટ નહીં મળતા કોંગ્રેસી અગ્રણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. મનુભાઈ કોટડિયાના પુત્ર સુરેશભાઈ કોટડિય ાએ બસપાના ઉમેદવાર તરીકે ઝૂકાવ્યું હતું. તેમણે આજે ફોર્મ પાછુ ખેંચી લીધું હતું.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments