Dharma Sangrah

World Heritage Day- મોઢેરાનું સૂર્યમંદિર, વડનગર, ઉનાકોટી રોક-કટ મૂર્તિઓને મળ્યુ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન

Webdunia
શુક્રવાર, 18 એપ્રિલ 2025 (10:32 IST)
ભારતના ત્રણ નવા સાંસ્કૃતિક સ્થળો, જેમાં મોઢેરા ખાતેનું પ્રતિષ્ઠિત સૂર્ય મંદિર, ગુજરાતનું ઐતિહાસિક વડનગર શહેર અને ત્રિપુરામાં ઉનાકોટીના રોક-કટ રાહત શિલ્પોને યુનેસ્કો હેરિટેજ સાઇટ્સની કામચલાઉ યાદીમાં ઉમેરવામાં આવ્યા છે.
એએસઆઈએ મંગળવારે કહ્યું કે ત્રિપુરામાં ઉનાકોટીના કટ રાહત શિલ્પોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની કામચલાઉ સૂચિમાં ઉમેરવામાં આવ્યા છે. યુનેસ્કોની વેબસાઈટ કામચલાઉ યાદીને "તે પ્રોપર્ટીની યાદી કે જે દરેક રાજ્ય પક્ષ નોમિનેશન માટે ધ્યાનમાં લેવા માગે છે". મંગળવારે, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી જી કિશન રેડ્ડીએ આ સમાચાર શેર કરવા માટે ટ્વીટ કર્યું અને ત્રણ સાઇટ્સની તસવીરો પણ શેર કરી હતી.
 
કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી રેડ્ડીએ ટ્વીટ કર્યું, “ભારતને અભિનંદન! ભારત @UNESCO ની કામચલાઉ યાદીમાં વધુ 3 સ્થળો ઉમેર્યા છે: 01 વડનગર- એક બહુ-સ્તરીય ઐતિહાસિક શહેર, ગુજરાત 02 સૂર્ય મંદિર, મોઢેરા અને તેની આસપાસના સ્મારકો, ઉનાકોટી જિલ્લાના 03 રોક-કટ શિલ્પો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ પણ તેમનું ટ્વીટ શેર કર્યું અને કહ્યું કે આ પગલાથી ભારતના સાંસ્કૃતિક વારસાને મોટું પ્રોત્સાહન મળશે.
ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા મોઢેરામાં. સોલંકી યુગમાં નિર્માણ થયેલું આ મંદિર હસ્તશિલ્પનો ઉત્કષ્ટ નમૂનો છે. આ મંદિરનું નિર્માણ પાટણના રાજવી ભીમદેવ સોલંકી પહેલાના શાસન દરમિયાન ઈ.સ. 1026-1027માં થયું હતું. મંદિર 23.6 અક્ષાંશ પર કર્કવૃત્તની નજીક બંધાયેલું છે. આ મંદિર પહેલાં સ્થાનિકોમાં 'સીતાની ચૌરી' અને 'રામકુંડ' તરીકે જાણીતું હતું. અલ્લાઉદ્દીન ખિલજીએ પોતાના આક્રમણ દરમિયાન મંદિરને ખૂબ જ નુકશાન પહોંચાડ્યુ હતું અને મંદિરની મૂર્તિઓ તોડફોડ કરી હતી. અત્યારે આ મંદિરને ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરાયેલ છે.
 
સૂર્યમંદિર તેની કોતરણી અને કળા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. મંદિરના ગર્ભગૃહ પાસે આવેલા શિલાલેખમાં ઇ.સ. 1027નો ઉલ્લેખ જોવા મળે છે. મંદિરના સભામંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર વિવિધ દેવી-દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતરીને તૈયાર કરાયા છે. આ સ્તંભોને નીચેની તરફ જોતા તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની તરફ જોતા એ ગોળ દેખાય છે. તો સૂર્ય મંદિરની મુલાકાતે ન માત્ર દેશ પરંતુ વિદેશથી પણ અનેક લોકો આવે છે.
 
આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાંય પણ ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરને સોલંકી ભીમદેવે બે ભાગમાં નિર્મિત કરાવ્યું હતું. પહેલો ભાગ ગર્ભગૃહનો અને બીજુ સભામંડપનો છે. મંદિરના ગર્ભગૃહના અંદરની લંબાઈ 51 ફૂટ, 9 ઈંચ અને પહોળાઈ 25 ફૂટ 8 ઈંચની છે.
 
આ મંદિર પૂર્વાભિમુખ છે. તેથી વહેલી સવારે સૂર્ય ઊગે ત્યારે તેનાં કિરણો સીધાં ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્યપ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણિ પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઊઠતું હશે. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે. આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. સૂર્યમંદિરનાં કલાત્મક શિલ્પોમાં કેટલાંક કામશાસ્ત્રને લગતાં શિલ્પો છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

આગળનો લેખ
Show comments