Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022- કેજરીવાલની લોકોને અપીલ, 'કૉંગ્રેસ પાછળ મત બરબાદ ના કરો'

Webdunia
મંગળવાર, 15 નવેમ્બર 2022 (18:22 IST)
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારે ગુજરાતના લોકોને કૉંગ્રેસ પાછળ ‘પોતાનો મત બરબાદ નહીં કરવા’ અને તેના બદલે ‘આપ’ને મત આપવાની અપીલ કરી. તેમણે દાવો કર્યો કે, “તેમના પક્ષનો સત્તાધારી ભાજપ સાથે સીધો મુકાબલો છે.”
 
અમદાવાદ પહોંચ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં કેજરીવાલે દાવો કર્યો કે “ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને માત્ર ચાર-પાંચ બેઠક જ મળશે.”
 
આ વખતે કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી વારંવાર દાવો કરી રહી છે કે ગુજરાતમાં કૉંગ્રેસ જમીન ગુમાવી રહી છે અને પોતે રાજ્યમાં ભાજપના મુખ્ય પ્રતિસ્પર્ધીના રૂપમાં રજૂ કરવાના અભિયાનમાં જોતરાયેલી છે.
 
આપ વિધાનસભા ચૂંટણી માટે 178 ઉમેદવારોનાં નામોની જાહેરાત પહેલાંથી જ કરી ચૂકી છે.
 
અરવિંદ કેજરીવાલે ઉમેર્યું, “મારું અનુમાન છે કેકૉંગ્રેસના મત લગભગ 13 ટકાથી ઓછા થઈ જશે અને તેને 4થી 5 બેઠક મળશે, આ આપ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે.”

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments