Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત ચૂંટણી પરિણામને લઈને અમિત શાહે ગુજરાતમાં AAP માટે કરી મોટી આગાહી

Webdunia
બુધવાર, 30 નવેમ્બર 2022 (18:46 IST)
હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ખુબ જોરમાં ચાલી રહ્યો છે ત્યારે હમણાં થોડો સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સભામાં કોંગ્રેસ પર નિશાન સાધ્યુંને કહ્યું હતું કે કોંગ્રેસ ચુપચાપ આગળ વધે છે તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. નરેન્દ્ર મોદીના આ નિવેદનથી એવું માનવમાં આવે છે કે ગુજરાતમાં હજી પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે. એ પછી હવે ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન પર નજર કર્યે તો ગુજરાતના વિપક્ષમાં કોંગ્રેસને જ જોવાઈ રહ્યું છે.

અમિત શાહે તેની સભામાં કોંગ્રેસ પર બોલ્યા કે, તે દેશની અંદર સંકટની પરિસ્થતિમાં જોવા મળે છે જેની અસર ગુજરાતમાં દેખાઈ રહી છે. કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી વિશે બોલતા કહ્યું કે, 'ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ખાતું પણ નહિ ખુલ્લી શકે.'અમિત શાહે આગળ નરેન્દ્ર મોદીની વાત કરતા કહ્યું કે, 'ગુજરાતમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા, સમાવેશી વિકાસ અને સૌનો વિશ્વાસની ભાવના પર લોકોને ભરોષો છે અને આ પ્રકારના કેટલાક કારણોને લીધે 27 વર્ષથી લોકોએ તેમના પર ભરોષો મૂકી તેમની સરકાર બનાવી છે અને ગુજરાતના લોકોને ભાજપ અને નરેન્દ્ર મોદી પર પૂરો વિશ્વાસ છે, તેમજ આ વર્ષે ભાજપ અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવશે વધારેમાં', અમિત શાહે કહ્યું.આમ આદમી પાર્ટીના ગુજરાતમાં પ્રવેશ પર અમિત શાહ બોલ્યા કે, ચૂંટણી લડવી એ દરેક પાર્ટીનો અધિકાર છે. પરંતુ એ જનતા પર આધાર રાખે છે કે તે કોને સ્વીકારે છે. ગુજરાતના લોકોના વિચારમાં આમ આદમી પાર્ટી ક્યાંય દેખાઈ રહી નથી. પરિણામની રાહ જુવો એવું પણ થઇ શકે વિજેતાના નામમાં ક્યાંય પણ તેમનું નામ ના હોય. તેમજ કોંગ્રેસને લઇ બોલ્યા કે, 'ગુજરાતમાં આજે પણ તે વિપક્ષી દળ જ છે પરંતુ આજે તે ક્યાંક મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યું છે અને તેની અસર આજે આપણે ગુજરાતમાં જોવા મળી રહી છે.' ઉપરાંત ભારત જોડો યાત્રા વિશે કહ્યું કે, 'રાજનીતિમાં આ પ્રકારના પ્રયત્નો થતા રહેવા જોઈએ.'હાલમાં, રાહુલ ગાંધી દ્વારા જે ભારત જોડો યાત્રા ચાલી રહી છે તેના પર શાહે કહ્યું, બધા નેતાઓ દ્વારા કઠિન પ્રયત્નો થતા રહેવા જોઈએ. આ વાત સારી છે કે કોઈ મહેનત કરી રહ્યું છે. દેશની સુરક્ષાના મુદ્દાને રાજ્યની ચૂંટણીમાં પ્રશ્ન ઉઠવાના સંદર્ભમાં શાહે કહ્યુ કે,'જો રાષ્ટ્ર જ સુરક્ષિત નહિ હોય તો રાજ્યની સુરક્ષા કેવી રીતે થશે. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments