Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022- ગુજરાતમાં ભાજપના હાર્દિક પટેલની સીટ પર કોનો દબદબો? કોણ જીતશે વિરમગામનો 'સંગ્રામ'?

હેતલ કર્નલ
બુધવાર, 7 ડિસેમ્બર 2022 (09:54 IST)
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર હાર્દિક પટેલ 2015માં પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો હતો. ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલને પાર્ટીએ વિરમગામ બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતાર્યો છે. આ બેઠક પરથી હાર્દિક પટેલની લડાઈ સરળ નથી, કારણ કે કોંગ્રેસે આ બેઠક પરથી તેના જૂના નેતા લાખાભાઈ ભરવાડને ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીએ વિરમગામ બેઠક પરથી અમરસિંહ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે.
 
વિરમગામ બેઠક પર કોનું પ્રભુત્વ?
આ બેઠક 2022 અને 2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીતી હતી. આ પછી કોંગ્રેસે 2012 અને 2017માં પલટવાર કર્યો હતો. સતત બે વિધાનસભાની ચૂંટણીઓથી આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે અને વિરમગામ બેઠક કોંગ્રેસ જીતી રહી છે. તેથી કહી શકાય કે આ બેઠક હાર્દિક પટેલ માટે પડકારોથી ભરેલી રહેશે.
 
વિરમગામ બેઠક પર કેટલા મતદારો?
વિરમગામ બેઠકના મતદારોની સંખ્યાની વાત કરીએ તો અહીં કુલ મતદારોની સંખ્યા બે લાખ 98 હજારથી વધુ છે. વિરમગામમાં પુરૂષ મતદારોની સંખ્યા એક લાખ 54 હજારથી વધુ અને મહિલા મતદારોની સંખ્યા એક લાખ 44 હજારથી વધુ છે. તે જ સમયે, અહીંથી દલિત મતદારોની સંખ્યા 11 ટકા છે. વિરમગામ બેઠક પર પાટીદાર અને ઠાકોર મતદારો સારી સંખ્યામાં હાજર છે, તેથી આ બેઠક પરથી ભાજપનો હાર્દિક પટેલ જીતે તેવી અપેક્ષા છે. હવે હાર્દિક પટેલને પાટીદાર અને દલિત મતદારોનું કેટલું સમર્થન મળશે તે તો 8મી ડિસેમ્બરે જ ખબર પડશે. આ સાથે જ કોંગ્રેસ પણ આ બેઠક પરથી જીતની હેટ્રિક ફટકારવાની પુરી તૈયારીમાં છે.
 
વિરમગામમાં જ્ઞાતિ સમીકરણ
જણાવી દઈએ કે, હાર્દિક પટેલ માત્ર વિરમગામનો જ રહેવાસી છે. વિરમગામમાં ઠાકોર સમાજની સંખ્યા 65 હજાર છે. વિરમગામમાં પટેલ સમાજના 50 હજાર મતદારો છે. સાથે જ દલિત સમાજના 35 હજાર મતદારો પણ ખૂબ મહત્વના સાબિત થઈ શકે છે. આ ત્રણ ઉપરાંત ભરવાડ રબારી, મુસ્લિમ, કોળી, કરાડિયા અને રાજપૂત સમાજના લોકો પણ નોંધપાત્ર સંખ્યામાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments