Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં મુખ્યપ્રધાન રૂપાણીના પોસ્ટરો ફાડતાં પોલીસ ફરિયાદ થઈ

Webdunia
બુધવાર, 1 નવેમ્બર 2017 (12:00 IST)
ગુજરાતમાં ભાજપ અને પાટીદારો વચ્ચે ચાલતું રાજકારણ ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમ વધુ ગંભીર બનતું જાય છે. મંગળવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમટાઉનમાં સરદાર પટેલની જન્મજયંતીની રેલી નીકળી હતી આ દરમિયાન કેટલાક અજાણ્યા યુવાનોએ કાલાવડ રોડ સહિતના રાજમાર્ગો પર ડિવાઇડર વચ્ચે મુકાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના બેકલીટમાં તોડફોડ કરી હતી.

આ અંગે પોલીસમાં ભાજપ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે કોંગી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, અમારા કોંગ્રેસના એક પણ કાર્યકરનો આમાં હાથ હશે તો હું તેને છોડાવવા પણ નહીં જાવ. મુખ્યમંત્રી વિજય રૂપાણી જે સીટ પરથી ચૂંટણી લડવાના છે તે વિધાનસભા બેઠક નં.69મા સરદાર પટેલ સેવાદળે સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે કર્મવીર રેલી કાઢી હતી.  સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. બાઇક પર ડબલસવારી પાટીદાર યુવાનો હોર્ડિંગ્સમાં તોડફોડ કરતા સ્પષ્ટ નજરે પડે છે. રેલીમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો જોડાયા હતા. મહિલા કોલેજ ચોકથી લઇને કોટેચા ચોક સુધી સંખ્યાબંધ હોર્ડિંગ્સમાં તોડફોડ મચાવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sugar Vs Jaggery: સ્વાસ્થ્ય માટે શુ સારુ છે ખાંડ કે ગોળ ? જાણો તેના ફાયદા

શું રાણા સાંગાએ પત્ર લખીને બાબરને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું?

બર્મી પોટેટો કરી રેસીપી

ચિકન લોલીપોપ chicken lollipop recipe

બોધ વાર્તા- નોટબુકનો પુનઃઉપયોગ:

વધુ જુઓ..

નવીનતમ

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

આગળનો લેખ
Show comments