Biodata Maker

રાહુલ ગાંધીની મંદિરોની મુલાકાત રાજકારણ સર્જે છે - નીતિન પટેલ

Webdunia
શનિવાર, 11 નવેમ્બર 2017 (11:31 IST)
ગુજરાતમાં ચૂંટણી ટાણે નેતાઓમાં આક્ષેપો સામે આક્ષેપો કરવાનો દોર શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંઘી ગુજરાતમાં મંદિરોમાં ફરી રહ્યાં છે ત્યારે ભાજપના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે રાહુલની મંદિરોની મુલાકાત રાજકીય છે. તેમણે શુક્રવારે પ્રેસકોન્ફરન્સ કરીને કહ્યું હતું કે રાહુલ ગાંધીને તેમના નાના પંડિત જવાહરલાલ નેહરુની દંભી બિનસાંપ્રદાયિકતાનો ખ્યાલ હોવો જોઈએ. ભાજપ ઋષિમુનિઓની સંસ્કૃતિને અનુસરે છે,

રાષ્ટ્રધર્મ એ અમારો મૂળ ધર્મ છે. આ સાથે જ નીતિન પટેલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, કૉંગ્રેસ ખોટી આંકડાકીય માહિતી આપીને ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. બીજી તરફ ‘કિસાનોનું હિત, ભાજપની જીત’ નામની પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતુંકે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખેડૂત પુત્ર હોવા છતાં તેમને ખેડૂતોની દયનીય સ્થિતિનો ક્યાલ નથી તે દુ:ખદ બાબત છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Trip For March- દાર્જિલિંગ જોવાલાયક સુંદર સ્થળો

આજે પણ યુવકોને લગ્ન માટે વર્જિન યુવતી જોઈએ - નીના ગુપ્તા

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Sidharth Malhotra Father Death: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન, ઉંઘમાં જ છોડી ગયા દુનિયા, આઘાતમાં છે એક્ટર

આગળનો લેખ
Show comments