Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટીદાર આંદોલનના 14 યુવાનોના મોતનો જવાબદાર હાર્દિક - આનંદીબેન

Webdunia
સોમવાર, 11 ડિસેમ્બર 2017 (12:16 IST)
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં જ્યારે પાટીદાર અનામત આંદોલન સમયે લાખોની સંખ્યામાં પાટીદારો એકઠા થયા અને ત્યાર બાદ થયેલા તોફાનોમાં જે 14 પાટીદાર યુવાનો મોતને ભેટ્યાં હતાં તેમના મોત અંગે પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે આ મોત પાછળ હાર્દિક પટેલ જવાબદાર છે. જો તેણે આંદોલન ના કર્યું હોત તો આ લોકોના મોત ના થયાં હોત. આનંદીબેનના આ નિવેદન બાદ પાટીદાર સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ તેમના આ નિવેદનથી ભારે ટીકાઓ થઈ રહી છે. હજી બીજા તબક્કાનું મતદાન ગુરૂવારે યોજાવાનું છે ત્યારે પાટીદારોના ગઢ સમાન મહેસાણા અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ભાજપને નુકસાન વેઠવાનો વારો આવી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલની ટીમ 14 પાટીદારોના મોતની જવાબદાર સરકાર હોવાનું જણાવી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આગળનો લેખ
Show comments