Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભરુચ પાસે જાનૈયાઓની બસને અકસ્માત નડ્યો- કન્યા સહિત ચારના મોત

Webdunia
મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (15:40 IST)
ભરૂચના નબીપુર પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત નડતાં બસમા સવાર એક જ પરિવારના ચાર લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 15 લોકોને ઇજા પહોંચી છે. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં નવવધૂનું પણ મોત થયું છે. 4 મૃતકોને પીએમ અર્થે ભરૂચ સીવિલ લઇ જવાયા છે. બનાવ અંગે મળતી માહિતી અનુસાર સુરતના પરવત પાટિયા પાસે રહેતો પરિવાર સૌરાષ્ટ્રના દ્વારકાથી નવવધૂ લઇને પરત ફરી રહ્યો હતો. એ સમયે ભરૂચના નબીપુર બ્રિજને ક્રોસ કરીને સાહેલ હોટલ પાસે રેતી ભરેલી ટ્રક પંક્ચર હાલતમાં ઊભી હતી. ભારે ધૂ મ્મસ હોવાના કારણે બંધ પડેલી ટ્રકને બસ ડ્રાઇવર જોઇ શક્યો ન હતો અને ધડાકાભેર અથડાઇ હતી. જેમાં ડ્રાઇવર સાઇડની બસનો ખુરદો બોલી ગયો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments