Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસ કોના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડશે તે સ્પષ્ટ કરે- અમિત શાહ

Webdunia
ગુરુવાર, 16 નવેમ્બર 2017 (12:18 IST)
ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢતાં પૂછયું છે કે કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોના નેતૃત્વ હેઠળ લડવા માગે છે ? ભરતસિંહ સોલંકી કે શક્તિસિંહ ગોહિલ ? કોંગ્રેસનું હાઇકમાન્ડ આબાબતની સ્પષ્ટતા કરે. કેન્દ્રની કે ગુજરાતની કોંગ્રેસ પાસે ચૂંટણી લડવા માટેનો કોઈ એજન્ડા, વિઝન કે સક્ષમ નેતાગારી જ નથી. રાહુલ ગાંધી આજ સુધી એજન્ડા સેટ કરી શક્યા નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં માંડ ૮ થી ૯ કલાક વીજળી મળતી હતી.

ભાજપનાં શાસનમાં ૧૯ હજાર ગામોને ૨૪ કલાક વીજળી ળી રહી છે. કોંગ્રેસની વર્ષોથી જાતિવાદ, વર્ગ વિગ્રહની રાજનીતિનાં કારણે ભૂતકાળમાં અનેક વખત તોફાનો થતા કરફયુ નાખવો પડતો હતો. કેન્દ્રની ભાજપ સરકારે માત્ર ૧૭ દિવસમાં જ નર્મદા ડેમની ઉંચાઇ વધારવાનો નિર્ણય કર્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે, વર્ષોથી સત્તા વિહિન કોંગ્રેસે જાતિવાદનું ઝેર ફેલાવી, વર્ગવિગ્રહ કરાવી સત્તા મેળવવાની જૂની પદ્ધતિ અપનાવી રહી છે. ગુજરાતમાં વિકાસ ગાંડો થયો છે તેવો અપપ્રચાર ફેલાવે છે. ય્જી્ ના નિર્ણયને હજુ પાંચ મહિના જ થયા હોવા છતાં દેશનાં હિતમાં જરૃરી સુધારા કરી દેવાયા છે. અમિત શાહે કોંગ્રેસે સરદાર પટેલને સતત અન્યાય કર્યો હતો. નર્મદા યોજનાઓમાં અંતરાયો ઊભા કર્યા હતા. પાસના નેતામાં સરદાર પટેલનાં ઘશછ હોવાનું જણાવીને લોખંડી પુરુષનું અપમાન કર્યું છે. આવા બેજવાબદાર નિવેદન બદલ શક્તિસિંહે માફી માગવી જોઈએ. અગાઉની ચૂંટણીની જેમ આ વખતે ભાજપ જીતી જશે અને પ્રજા ભાજપને ૧૫૦થી વધુ બેઠકો અપાવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Collector Salary:કલેક્ટરનું કામ સત્તા અને હોદ્દાનું, જાણો કેટલો છે પગાર, શું છે સુવિધાઓ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

મહારાષ્ટ્રના પુણેમાં દુ:ખદ અકસ્માત, પાણીની ટાંકી ધરાશાયી થવાથી 5 મજૂરોના મોત; ઘણા ઘાયલ

આગળનો લેખ
Show comments