Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું શંકરસિંહ વાઘેલાની ગોળગોળ વાતોના કારણે તેઓ BJPના સૂત્રધાર બનશે?

Webdunia
ગુરુવાર, 17 ઑગસ્ટ 2017 (13:44 IST)
શંકરસિંહ વાઘેલા ‘બાપુ’ દ્વારા અગાઉ કોંગ્રેસથી છેડો ફાડ્યા બાદ હવે તેમના નજીકના ભવિષ્યના રાજનીતિક નિર્ણય અંગે કોઈ શંકા બાકી રહી નથી. તેમણે અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ કોઈ રાજકીય પક્ષમાં સામેલ થશે નહીં. પરંતુ વિધાનસભામાંથી રાજીનામું આપવા માટે અધ્યક્ષ રમણલાલ વોરાને મળવા ગયેલા ‘બાપુ’ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સાથે નજરે પડ્યા હતા. આ બાદ શંકરસિંહ દ્વારા BJPના બીજા મોરચાની કમાન સંભાળવામાં આવશે તે નિશ્ચિત છે.   શંકરસિંહને જ્યારે ખ્યાલ આવ્યો કે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં તેમને કોંગ્રેસના મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે જાહેર નહીં કરવામા આવે ત્યારે તેઓએ પક્ષ છોડવાનો નિર્ણય લીધો. હવે તેઓ ઈચ્છે છે કે BJP દ્વારા તેમના સમર્થક 14 ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવે. આ સિવાય તેઓ પોતાના સમર્થકો માટે NCP પાસેથી પણ ટિકિટ મેળવવાનો પ્રયાસ કરશે. રાજીનામું આપ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે,’જ્યારે મેં અધ્યક્ષને મારું રાજીનામું સ્વીકારી લેવા જણાવ્યું ત્યારે બની શકે કે તેમણે મુખ્યમંત્રીને જાણ કરી હોય તેવું બની શકે. જો કે આ સમય કેબિનેટ મિટિંગનો પણ હતો. હું મને અપાયેલ સન્માન માટે મુખ્યમંત્રી વિજય રુપાણી, નિતીન પટેલ, પ્રદિપસિંહ જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો આભાર વ્યક્ત કરું છું. હું વિધાનસભાના છેલ્લા સત્રમાં તો હાજર નહોતો રહી શક્યો પરંતુ હવે હું ગુજરાતના વિકાસ માટે કામ કરીશ.’ જ્યારે તેમને કોઈ રાજ્યના ગવર્નર બનાવી દેવાની વાત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, ‘હું એક ગવર્નર જ છું તેમજ મારે ગવર્નર જેવો જ એક ઘર પણ છે.’ જ્યારે તેમને પૂછવામા આવ્યું કે તેમના રાજીનામા સમયે BJPનેતાઓની હાજરીને તેમના BJP તરફી વલણનું સૂચન માનવું કે કેમ તો તેમણે જવાબ આપ્યો કે, ‘મેં પહેલાથી સ્પષ્ટ કરી દીધું છે કે હું કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાવાનો નથી. જોકે હું સક્રિય રાજનીતિમાં ચોક્કસ રહીશ’

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments