Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે કોંગ્રેસની પ્રદેશ કારોબારી, ચૂંટણી રણનીતિ ઘડાશે, જૂથવાદ ટાળવા અશોક ગેહલોત ધારાસભ્યોને મળશે

Webdunia
બુધવાર, 10 મે 2017 (12:31 IST)
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હજુયે કોંગ્રેસના પ્રદેશના નેતાઓમાં મનમેળ નથી . આંતરિક જૂથવાદને પગલે ખુદ કોંગ્રેસ હાઇકમાન્ડ પણ ચિંતિત છે. આવતીકાલે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસની કારોબારી મળી રહી છે જેમાં ચૂંટણીલક્ષી રણનિતી ઘડાશે. આ ઉપરાંત જૂથવાદ ટાળવા માટે પણ મથામણ થશે .
સૂત્રોના મતે, તા,૧૦મીએ અમદાવાદમાં એસ.જી હાઇવે પર મ્યુનિ.કોર્પોરેશન હોલમાં પ્રદેશ કોંગ્રેસની કારોબારી મળશે. જેમાં નવનિયુક્ત પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત સહિત એઆઇસીસીના અન્ય ચાર સભ્યો ખાસ ઉપસ્થિત રહેશે. બેઠકમાં આગામી દિવસોમાં પ્રજાલક્ષી પ્રશ્નો આગળ ધરીને ભાજપ સરકાર સામે વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો ઘડવામાં આવશે. આ ઉપરાંત સંગઠનને વધુ મજબૂત કરવા શું શું કરવુ તે અંગે ચર્ચા વિચારણા થશે.

ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતી મજબૂત કરવા ખુદ કોંગ્રેસ હાઇકમાન્ડ રસ દાખવી રહ્યું છે ત્યારે જૂથવાદ ટાળવા મથામણ થઇ રહી છે. પ્રદેશના ટોચના નેતાઓ એકસાથે મળીને ચૂંટણી લડે તે માટે પ્રયાસો થઇ રહ્યાં છે. આ કારણોસર અશોક ગેહલોત બે દિવસીય પ્રવાસ દરમિયાન ધારાસભ્યથી માંડીને કોંગ્રેસના આગેવાનોને મળશે તેમના મત જાણશે. અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસ વિશેનો એક અહેવાલ રાહુલ ગાંધીને આપશે . એવી પણ માહિતી મળી છેકે, પાટીદાર ધારાસભ્યોને સંગઠનથી માંડીને ચૂંટણીલક્ષી કામગીરીમાં મહત્વનુ સ્થાન આપવામાં આવશે. ટૂંક જ સમયમાં સંગઠનના માળખાની પણ જાહેરાત થવાની સંભાવના છે.

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments