Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાસના આગેવાનોને વઘુ ટિકીટ નહીં આપીને શું કોંગ્રેસે જ હાર્દિકનો દાવ ઊંધો પાડી દીધો?

Webdunia
સોમવાર, 20 નવેમ્બર 2017 (12:38 IST)
ઉમેદવારોને લઈને પાટીદાર અનામત આંદોલન સમિતિ અને કોંગ્રેસમાં ખેંચતાણને કારણે ચૂંટણીની સંભાવનાઓ પર ખાસ્સી અસર પડી શકે છે. રવિવારે સાંજે કોંગ્રેસ અને હાર્દિક વચ્ચે સંગઠન અંગે સહમતિના સમાચાર હતા, પરંતુ મોડી રાત્રે કોંગ્રેસની ૭૭ ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ બંને વચ્ચે ફુટ પડી છે. કોંગ્રેસ દ્વારા બેઠકોની વહેંચણીમાં મહત્વ ન મળવાનો આરોપ લગાવીને રાત્રે હાર્દિકના સમર્થકોએ અનેક જગ્યાએ હંગામો કરવાનો શરુ કરી દીધો હતો.

કોંગ્રેસની યાદીમાં પાસના બે નેતાઓના પણ નામ છે, પરંતુ હાર્દિકના સમર્થક તેનાથી સંતુષ્ટ નથી. સોમવારે સાંજે હાર્દિક તરફથી કોંગ્રેસ અને પાસ વચ્ચે સમજૂતીનું એલાન થવાનું હતું, પરંતુ હાલ જાણવા મળી રહ્યું છે કે તે કાર્યક્રમ રદ્દ કરી દેવાયો છે. રાજકીય પંડિતોનું માનીએ તો હાર્દિકને માત્ર ચાર બેઠકો આપી કોંગ્રેસે એ સ્પષ્ટ કરી દીધું છે કે તે હાર્દિકને ખાસ ભાવ આપવાના મૂડમાં નથી. સત્તાધારી ભાજપ વિરુદ્ઘ અપપ્રચાર કરવામાં કશુંય બાકી ન રાખનારા હાર્દિકે રાજયમાં એન્ટી-ઈન્કમ્બન્સી ફેકટરનો લાભ લેવા માટે વિચાર્યું હતું. પરંતુ તેના કારણે જ કોંગ્રેસને લાગે છે કે હાર્દિક ભાજપનો એટલો તીવ્ર વિરોધ કરી ચૂકયો છે કે હવે તે તેની સાથે હાથ મિલાવી શકે તેમ છે જ નહીં. એકલા હાથે જ ચૂંટણીમાં ઝંપલાવવું પાસ માટે હવે શકય નથી. તેની પાસે હાલના સંજોગોમાં કોંગ્રેસ પાસે જવા સિવાય કોઈ વિકલ્પ નથી. એમ પણ મનાઈ રહ્યું છે કે બેઠકો ફાળવવાના મામલે હાર્દિકની તાકાતને કોંગ્રેસે તેની ભાજપ સાથે ન જવાની જીદને કારણે જ ઓછી કરી દીધી છે. આ ઉપરાંત કથિત સેકસ સીડી વાયરલ થયા બાદ પણ હાર્દિકની બેઠકો મેળવવાની ક્ષમતા ઓછી થઈ છે. કોંગ્રેસની યાદીથી ખફા પાસના સહ-સંયોજક દિનેશ બાંભણિયાનું કહેવું છે કે, હવે ભરતસિંહને અમારી જરુર હશે તો અમને ફોન કરશે. સવારે અમે કોંગ્રેસનો જોરદાર વિરોધ કરીશું, કોંગ્રેસના ઉમેદવારોનો વિરોધ કરીશું. જે પોતાની જવાબદારીથી દૂર ભાગી રહ્યા છે તેમના સમર્થન અંગે વિચારીશું. સોમવારે અમે પાટીદાર ઉમેદવારોને કહીશું કે તેઓ ફોર્મ ન ભરે, અને જો તેઓ ફોર્મ ભરશે તો અમે તેમનો પણ વિરોધ કરીશું. કોંગ્રેસની આ જ રણનીતિ રહી તો પાસ શું કરશે તે અંગે પૂછતા બાંભણિયાએ કહ્યું હતું કે આવી સ્થિતિમાં અમારે વિચારવું પડશે. તેનાથી સંકેત મળે છે કે જો સમય રહેતા ટિકિટ વહેંચણી અને અનામતને લઈને કોંગ્રેસે પાટીદારોને ઠોસ આશ્વાસન ન આપ્યું તો અમારા રસ્તા અલગ થઈ શકે છે. જો આમ થયું તો આ કોંગ્રેસ માટે ચૂંટણી પહેલા જ મોટા ઝટકા સમાન સાબિત થશે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments