Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાથી લોકો ખુશ, ભાજપમાં ભાંજગડ

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા
Webdunia
મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (12:54 IST)
કોંગ્રેસે તેનો ચૂંટણી ઢંઢેરો પ્રજા સમક્ષ જાહેર કરી દીધો છે. જનતા દ્વારા બનાવેલ આ ઢંઢેરાથી ગુજરાતની જનતા ખુશ થઇ ગઈ છે તો બીજી બાજુ ભાજપમાં હડકંપ મચી ગયો છે. કોંગ્રેસે પોતાના ઢંઢેરામાં રોજગાર, શિક્ષણ, આરોગ્ય, ખેડૂતો વગરે પર વધારે ધ્યાન આપ્યું છે. કોંગ્રેસના મેનીફેસ્ટોની મહત્વની બાબત એ છે કે તે જનતાનાં સૂચનો દ્વારા બનાવવામાં આવ્યો છે. આ ઢંઢેરો બનાવવા જાણીતા ટેકનોક્રેટ સામ પિત્રોડા પણ જોડાયા હતાં. કોંગ્રેસનો ચુંટણી ઢંઢેરો પ્રજાલક્ષી હોવાને કારણે લોકોમાં ખુબ પ્રચલિત થઇ રહ્યો છે જયારે ભાજપે હજુ પોતાનો ઢંઢેરો જાહેર કર્યો નથી.

વધુમાં કોંગ્રેસ પોતાનો ચુંટણી ઢંઢેરામાં આપેલ વચનો પાળી બતાવશે તેવી રાહુલ ગાંધીએ હૈયાધારણા આપી છે જેથી હવે ભાજપમાં ભૂકંપ આવ્યો છે. આ ચુંટણી ઢંઢેરામાં ગુજરાતનાં તમામ વર્ગોના હિતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે જાહેર કરેલાં ચુંટણી ઢંઢેરા મુજબ ખેડૂતોનું દેવું માફ કરવું, ખેડૂતોને દિવસે ૧૬ કલાકની વીજળી, મહિલાઓ માટે ઘરનું ઘર, પેટ્રોલ - ડીઝલની કિંમતોમાં રૂપિયા ૧૦ ઘટાડશે, રીક્ષા ડ્રાઈવરો માટે વેલ્ફેર બોર્ડની રચના, વીજળીના દરોમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો, ફિક્સ પગાર ધારકોને કાયમી કરવાં તેમજ સરકારી વિભાગોમાંથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબુદ કરવી જેવી જાહેરાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments