Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસમાં 5 ધારાસભ્યો રિપીટ નહીં થાય તો ભાજપમાં 50 ટકા પાટીદાર ઘારાસભ્યોના પત્તાં કપાશે

Webdunia
સોમવાર, 9 ઑક્ટોબર 2017 (11:35 IST)
દિલ્હી ખાતે મળેલી સ્ક્રીનિંગ કમિટીની બેઠક પછી આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ટિકિટ ફાળવણી માટે પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેમાં એક બાબત સ્પષ્ટ થઇ છે કે રાજ્યસભાની ચૂંટણી વખતે તમામ ધારાસભ્યોને રિપીટ કરવાની જાહેરાત કર્યા પછી પણ, કોંગ્રેસ ગુજરાતમાં ચૂટાયેલા ઓછામાં ઓછા પાંચ ધારાસભ્યોને ટિકિટ આપશે નહીં. બીજી તરફ હાલમાં ભાજપમાં 44 પાટીદાર ધારાસભ્યો છે. જેમાંથી 50 ટકાથી વધુના પત્તાં કપાઈ જાય તેવી સંભાવનાઓ સુત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસને સાંસદ અહેમદ પટેલને જીતાડવા માટે નેવના પાણી મોભે આવી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. કોંગ્રેસે રીતસર ઝઝૂમવું પડ્યું હતું અને કોંગ્રેસના તમામ 43 ધારાસભ્યોને બેંગ્લોરના રિસોર્ટમાં લઇ જવા પડ્યા હતા.  કોંગ્રેસ માટે એક એક બેઠક પર કોઇપણ હિસાબે ભાજપના ઉમેદવારની તીવ્ર સ્પર્ધા કરી શકે તેવા ઉમેદવાર મૂકવા ફરજિયાત છે

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments