Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસના નેતાઓને અચાનક અમદાવાદ બોલાવાતા આશ્ચર્ય

કોંગ્રેસના નેતાઓને અચાનક અમદાવાદ બોલાવાતા આશ્ચર્ય
Webdunia
શુક્રવાર, 15 ડિસેમ્બર 2017 (12:17 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રસના કેટલાક પ્રમુખ અને કાર્યકરોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાની ફરિયાદ બાદ આજે અચાનક તમામને અમદાવાદ બોલાવવામા આવ્યા છે. આજે બપોરે બે વાગ્યે ગુજરાત વિધાનસભાની ચુંટણી લડેલા કોગ્રસના તમામ ઉમેદવારો સાથે શહેર અને જિલ્લા કોગ્રેસના પ્રમુખોને અમદાવાદ ખાતે તાબડતોબ બોલાવાયા છે. ઉમેદવારો પાસે વિગતો લઈને ચુંટણી અંગેની સમીક્ષા કરવા માટે કોગ્રેસે કવાયત શરૃ કરી છે. કોગ્રેસમાં અચાનક થયેલા આવા આયોજનના કારણે પરિણામ બાદ કંઈ નવાજુની થાય તેવી અટકળ તેજ થઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે છેલ્લી ઘડીએ મેન્ડેટ અપાતા પ્રદેશ કોગ્રેંસના નેતાઓ અને ઉમેદવારો વચ્ચે કોઈ પ્રકારનું સંકલન થયું ન હતું. વિધાનસભાની ચુંટણી દરમિયાન સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તથા કેટલાક નેતાઓ અને કાર્યકરોએ ઉમેદવારોને હેરાન કર્યા હોવાની પણ ફરિયાદ થઈ હતી. આવા પ્રકારની અનેક ફરિયાદ બહાર આવતાં પ્રદેશ કોગ્રેસે સુરતના ૧૨ સહિત ગુજરાતમાં ચુંટણી લડતા તમામ ઉમેદવારોને આજે બપોરે બે વાગ્યે અમદાવાદ તેડાવ્યા છે. ઉમેદવારો સાથે જિલ્લા અને શહેર કોગ્રેસના પ્રમુખને પણ બોલાવ્યા હોવાથી ફરિયાદનું સામ સામે નિરાકરણ થાય તેવી ગણતરી પણ થઈ રહી છે. પરિણામ પહેલા  કોગ્રેસના ઉમેદવારો અને પ્રમુખોને અચાનક અમાદાવાદ બોલાવાતા પરિણામ કોંગ્રેસની અપેક્ષાથી વિપરિત આવે તો કોંગ્રસમાં મોટા પાયે નવાજુની થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments