rashifal-2026

ભાજપમાં જૂથવાદ વકરતા કાર્યકરો અવઢવમાં, કયા નેતાને સાથ આપવો એની ચર્ચાઓ ચાલુ

Webdunia
બુધવાર, 28 જૂન 2017 (12:43 IST)
કોંગ્રેસમાં જૂથવાદ ચરમસિમાએ પહોંચ્યો છે  ત્યારે ભાજપની ય આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા જેવી દશા છે. અમિત શાહ અને આનંદીબેન પટેલ વચ્ચેનો આંતરિક જૂથવાદ એટલો વકર્યો છે કે, વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ નવુ માળખુ ય જાહેર કરી શકતુ નથી એટલે જ જીતુ વાઘાણીને ન ફાવે છતાંયે જૂની ટીમ સાથે કામ કરવા મજબૂર થવુ પડયું છે. 

ભાજપમાં અમિત શાહ અને આનંદીબેન પટેલના આંતરિક જૂથવાદથી ખુદ હાઇકમાન્ડ પણ ચિંતિત છે. આ આંતરિક લડાઇને કારણે જ નવા સંગઠનમાં કોને સમાવવા અને કોના પત્તા કાપવાની લડાઇ એટલી હદે પહોચી છે કે, નવા સંગઠનની રચના પર જ બ્રેક મારી દેવામાં આવી છે. ખુદ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને જૂથવાદનું ગ્રહણ નડયુ છે જેના લીધે જૂની ટીમથી કામ લેવુ પડે છે.  જૂથવાદને લીધે ભાજપના કેટલાંય ટોચના નેતાઓમાં મનમેળાપ નથી. આ ઉપરાંત લઘુમતી સહિતના કેટલાંય મોરચાની નિમણુંકો બાકી છે. મોરચામાં નિમણૂંકો મેળવવા હોદ્દેદારો,કાર્યકરો તલપાપડ થઇ રહ્યાં છે, ગોડફાધરો પાસે રજૂઆતો કરી રહ્યાં છે પણ હાઇકમાન્ડ આંતરિક જૂથવાદને લઇને મૂંઝવણ અનુભવી રહ્યું છે.  વિધાનસભાની ટિકિટ આપીશુ તેવુ ગાજર લટકાવી ભાજપના કાર્યક્રમોમાં માત્ર ભીડ એકઠી કરવાની જ કામગીરી કરાવવામા આવી રહી છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

Farali Recipe- 15 મિનિટમાં ફટાફટ સાબુદાણાના પાપડ બનાવો, જાણો અનોખો હેક

એક મહિના સુધી ઓટ્સ ખાવાથી શુ થાય છે ? જાણો કેટલુ વજન ઘટી શકે છે અને આરોગ્યને કયા ફાયદા મળશે ?

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

વધુ જુઓ..

નવીનતમ

બાન્દ્રાની દરેક બિલ્ડિંગમાં છે આ અભિનેત્રીના ફ્લેટ, અક્ષય કુમારે ખોલી પોલ, પ્રોપર્ટી કલેક્શન વિશે જાણીને લાગશે શૉક

Adrija Roy Engagement: અનુપમા ની રાહી એ કરે સગાઈ, તમિલ રીતિ-રિવાજથી થઈ વિધિ, જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

આગળનો લેખ
Show comments