Webdunia - Bharat's app for daily news and videos

Install App

સીબીઆઈ અને ઈડીની તપાસના બ્લેકમેઈલિંગના કારણે શંકરસિંહે કોંગ્રેસ છોડી - અશોક ગેહલોત

સીબીઆઈ અને ઈડીની તપાસના બ્લેકમેઈલિંગના કારણે શંકરસિંહે કોંગ્રેસ છોડી - અશોક ગેહલોત
Webdunia
બુધવાર, 26 જુલાઈ 2017 (15:49 IST)
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ 'કોંગ્રેસને હું મુક્ત કરું છું', 'કોંગ્રેસે મને ચોવીસ કલાક પહેલા કાઢી મૂક્યો' તેવા જાહેરમાં કરાયેલા નિવેદન બાબતે કોંગ્રેસની કારોબારી પછી પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતે પ્રતિભાવ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે શંકરસિંહ વાઘેલા એનડીએના સીબીઆઇ-ઇડીની તપાસના બ્લેક મેઇલિંગના ભયે કોંગ્રેસ છોડવા મજબૂર થયા છે.

ગેહલોતે શંકરસિંહ કોંગ્રેસમાં હોય કે ના હોય પણ, એનડીએ બાપુ સામે સીબીઆઇ કે ઇડીની તપાસ કરશે તો કોંગ્રેસ તેમની સાથે ઊભી રહેશે. મોદી સરકાર અને અમિત શાહની આગેવાનીમાં દેશમાં કટોકટી હોય તેવી સ્થિતિ સર્જાઇ હોવાનો ઇશારો ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કર્યો હતો તે બાબતનો ઉલ્લેખ કરતા અશોક ગેહલોતે કહ્યું હતું કે એનડીએ અને અમિત શાહના ઇશારે અગાઉ રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ અને વિરોધ પક્ષના નેતાઓને ખોટા કેસમાં ફસાવ્યા છે. આવો પ્રયાસ શંકરસિંહ વાઘેલા સાથે કરવાનો ડર ઊભો કરીને કર્યું હોય તેવું જણાય છે, કારણ કે ચૂંટણીના ચાર મહિના પહેલા વાઘેલા જેવો સબળ નેતા આવું પગલું ભરે તે સ્વાભાવિક છે કે કોઇ ભયના કારણે હોઇ શકે. ગેહલોતે કહ્યું હતું કે શંકરસિંહે તેમને ચૂંટણી પહેલા સીએમ પદના ઉમેદવાર જાહેર કરે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખને હટાવવા, જેટલા ઉમેદવારોને ટિકિટ આપવાની થાય તે તમામને નિર્ણય શંકરસિંહને સ્વતંત્ર રીતે લેવાની છૂટ અપાઇ તેવી માગણી હતી. આવી માગણીઓ કોંગ્રેસના ઇતિહાસમાં અત્યાર સુધી કોઇએ કરી નથી. આથી તે સ્વીકારી શકાય નહીં.
વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments