Webdunia - Bharat's app for daily news and videos

Install App

સામાન્ય વર્ચસ્વ ધરાવતા અપક્ષોના હવે ભાવ બોલાવા માંડ્યાં

અપક્ષો
Webdunia
શનિવાર, 11 નવેમ્બર 2017 (12:31 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજો મોરચો ક્યારે સફળ બન્યો નથી પણ અપક્ષ ઉમેદવારો અને ત્રીજો મોરચો ભાજપ કૉંગ્રેસ માટે હારજીતનું કારણ બન્યા છે. આ વખતની ચૂંટણીમાં પણ જ્ઞાતિઓમાં થોડો ઘણો પ્રભાવ ધરાવતા અપક્ષ ઉમેદવારોને ઊભા રાખવાના ભાવ બોલાય રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં જ્ઞાતિવાદ હાવી છે ત્યારે આવા અપક્ષ ઉમેદવારોની બોલબાલા રહેશે અને પાર્ટીઓ મોટી સંખ્યામાં આવા સમીકરણો સર્જી શકે અને પરિણામ પર અસર કરી શકે તેમને વીણી વીણીને ચૂંટણી મેદાનમાં ઉતારશે.

રાજકીય પક્ષો દ્વારા જે તે વિધાનસભામાં આવા ઉમેદવારો શોધવાની કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી સમયે આવા અનેક કાવાદાવા, વ્યૂહ અને રણનીતિના કારણે ચૂંટણીનો માહોલ જીવંત પણ લાગતો હોય છે. એ જાણીને નવાઈ લાગશે કે ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં ૧૨૮૮ ઉમેદવાર એવા હતા જેમને એટલા ઓછા મત મળ્યા હતા કે તેમની ડિપોઝિટ જપ્ત થઈ જવા પામી હતી. કુલ ૨૯૭૦ ઉમેદવારોએ ગત ચૂંટણીમાં ઉમેદવારીના ફોર્મ ભર્યા હતા. જેમાં ૨૭૭૯ પુરુષ અને ૧૯૧ મહિલા ઉમેદવાર હતા. તેમાંથી ૬૫૮ ઉમેદવારોના ફોર્મ અયોગ્ય માહિતી કે અન્ય ભૂલના કારણે ચૂંટણી પંચ દ્વારા પ્રથમ તબક્કે જ રિજેક્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૫૯૧ પુરુષ અને ૬૭ મહિલા ઉમેદવાર હતા. જ્યારે ૬૧૯ પુરુષ અને ૨૭ મહિલા ઉમેદવારોએ છેલ્લી ઘડીએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા. તેના કારણે ચૂંટણી મેદાનમાં ૧૫૬૯ પુરુષ ઉમેદવાર અને ૯૭ મહિલા ઉમેદવાર સાથે કુલ ૧૬૬૬ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. અમદાવાદમાં સૌથી વધુ ૧૬૬ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. જ્યારે ડાંગમાં સૌથી ઓછા પાંચ ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થવા પામી હતી. ડિપોઝિટ જપ્ત થઈ જનારો એક વર્ગ એવો હોય છે જે રાજકીય પક્ષના ઇશારે ઉમેદવારી નોંધાવે છે. જે તે વિધાનસભા વિસ્તારમાં હરીફ ઉમેદવારના મત તોડવા માટે પક્ષ આ પદ્ધતિ અપનાવે છે. જેમાં દાખલા તરીકે શંકરસિંહ રાજપૂત ઉમેદવારી કરતા હોય તો તે નામના તે વિસ્તારમાં રહેતા વ્યક્તિને તૈયાર કરીને ઉમેદવારી કરાવવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments