Webdunia - Bharat's app for daily news and videos

Install App

Modi sold tea or not મોદીએ વડનગરમાં સ્ટેશન વગર ચા કેવી રીતે વેચી ? જાણો હકીકત

Webdunia
સોમવાર, 23 ઑક્ટોબર 2017 (16:06 IST)
સોશિયલ મીડિયા પર એક તસ્વીરને શેયર કરતા પીએમ મોદીને સવાલ પૂછતા એ સાબિત કરવાની કોશિશ કરવામાં આવી રહી છેકે પીએમ મોદીનો વડનગર રેલવે સ્ટેશન પર ચા વેચવાનો દાવો ખોટો છે. વાયરલ તસ્વીરમાં સવાલ પૂછવામાં આવ્યો છે.. 'તમારો (નરેન્દ્ર મોદી) જન્મ 1950માં થયો અને વડનગરમાં 1973માં ટ્ર્રેન ચાલી.. ત્યારે તમે 23 વર્ષના હતા. 20ની વયમાં તમે ઘર છોડી દીધુ તો તમે ચા ક્યારે વેચી હતી ? આ તસ્વીર ઉપરાંત પણ સોશિયલ મીડિયા પર અનેક લોકો જુદા જુદા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. 
 
સોશિયલ મીડિયા પર વાયરલ તસ્વીર 
 
અમે આ દાવો તો નથી કરતા કે પીએમ મોદીએ વડનગર રેલવે સ્ટેશન પર ક્યારેય ચા વેચી હતી પણ આ તસ્વીરના માધ્યમથી ફેલાવવામાં આવી રહેલ ઝૂઠાણાના તથ્ય વિશે તમને જરૂર બતાવીશુ. અસલી સવાલ એ છે કે શુ 1973 પહેલા વડનગર રેલવે સ્ટેશન નહોતુ ? આ સવાલનો જવાબ જાણવા માટે અમે પડતાલ શરૂ કરી તો અમને પશ્ચિમી રેલવેની વેબસાઈટ પર પહોંચ્યા. જ્યા ભારતીય રેલવેના ઈતિહાસ નામના પીડીએફમાં અમે જોયુ કે મેહસાણાથી વડનગર વચ્ચે એક રેલવે લાઈન પણ હતી અને આ લાઈન 21 માર્ચ 1887 ના રોજ ખુલી હતી. રેલવેની પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.. 
 
રેલવેના દસ્તાવેજ મુજબ વડનગરમાં રેલવેનો ઈતિહાસ 
 
આગળની પડતાલમાં અમે માહિતી મેળવીકે અંગ્રેજી શાસન દરમિયાન વેપાર માટે ગુજરાતના અનેક જીલ્લામાં રેલવે લાઈન પાથરવામાં આવી. તેમા વડનગરની રેલવે લાઈન પણ હતી. એક અન્ય સોર્સ મુજબ આ રેલવે લાઈન વડોદરા સ્ટેટ દ્વારા ગાયકવાડના રાજમાં બનાવાઈ હતી. વડોદરા કપાસના ઉત્પાદનમાં આગળ હતુ.. અને ગાયકવાડને લાગ્યુ કે અમેરિકી નાગરિક યુદ્ધને કારણે પુરવઠો મોકલવામાં અવરોધ દરમિયાન ઈગ્લેંડના બજારોમાં કપાસની આપૂર્તિ કરી શકાય છે. 
 
 
આ ઉપરાંત વડનગરના એક પ્રાચીન નગર નામના બ્લોગમાં દાવો કરવામાં આવ્યો છે કે 1893માં વડનગર સ્ટેશન પાસે એક એંગ્લો-વર્નેક્યૂલર સ્કુલ પણ ખોલવામાં આવી હતી. મતલબ સ્ટેશન પહેલાથી જ હાજર હતુ.. શોઘગંગા વિશ્વવિદ્યાલયના શોઘકર્તા દ્વારા લખવામાં આવેલ લેખોનો ઓનલાઈન સંગ્રહ છે. આ સાઈટ પર ઉપલબ્ધ એક થીસિસમાં પણ આ સ્કૂલનો ઉલ્લેખ છે. 
 
 
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા આ સવાલને પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટે પણ ઉઠાવ્યો હતો. 
 
સંજીવ ભટ્ટનુ ટ્વીટ 
 
પણ અમારા પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો.. જેમા કહેવામાં આવ્યુ કે વડનગરમાં પહેલી ટ્રેન 1973માં આવી. ઐતિહાસિક તથ્યો મુજબ વડનગરમાં 1973ના ઘણા પહેલા જ રેલવે લાઈન બની ચુકી હતી અને ત્યા સ્ટેશન પણ હતુ. જો કે આ વાતનુ પ્રમાણ  મળ્યુ નથી કે મોદીએ સ્ટેશન પર ચા વેચી હતી. 

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments