Webdunia - Bharat's app for daily news and videos

Install App

સીએમ રૂપાણી પાટીદારોના ખોફને કારણે રાજકોટ પશ્ચિમ સહિત અકોટા બેઠક પરથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ

Webdunia
શુક્રવાર, 24 નવેમ્બર 2017 (15:42 IST)
ગુજરાતમાં હાલમાં ભાજપ પ્રત્યે પાટીદારો રોષે ભરાયા છે કે નહીં તે ચૂંટણીનું પરિણામ બતાવશે પરંતુ રાજકારણમાં એક એવી ચર્ચાએ જોર પકડ્યું છે જેમાં ગુજરાતના સીએમને પોતાની બેઠક સહિત બીજી અન્ય બેઠક પર પણ ઉમેદવારી નોંધાવવી પડે એમ છે. ચર્ચાઓ એવી થઈ રહી છે કે પાટીદારોના ખોફને કારણે ભાજપમાં આ વખતે ચૂંટણી જીતવી કપરી બની ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી પોતે ટેન્શનમાં છે, તેવું લાગે છે. વાત એવી ચર્ચાઈ રહી છે કે, CM વિજય રૂપાણી બે સીટ પરથી ચૂંટણી લડી શકે છે.

રાજકોટ પશ્ચિમથી તો તેઓ ચૂંટણી લડવાના જ છે, પરંતુ આ સાથે તેઓ વડોદરાની અકોટા બેઠક પરથી પણ ચૂંટણી લડે તેવી શક્યતા છે. કારણ કે આ બેઠક પર પહેલા સૌરભ દલાલને ટિકિટ આપવામાં આવી હતી અને હવે તેમને બોટાદની ટિકિટ આપી દેવામાં આવી છે, તેવામાં આ સીટ ખાલી છે અને રાજકોટમાં માહોલને જોતા CM વિજય રૂપાણીને જીતવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે. આ સિવાય હાર્દિક પણ રાજકોટમાં 29 તારીખે જંગી સભા કરવાનો છે, તેને કારણે CM વિજય રૂપાણી કોઈ ચાન્સ લેવા માગતા નથી અને બે સીટ પરથી ચૂંટણી લડે તેવી વાત ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments