Dharma Sangrah

ભાજપનો 150નો ટાર્ગેટ અશક્ય - પ્રફૂલ પટેલ

Webdunia
બુધવાર, 6 ડિસેમ્બર 2017 (12:13 IST)
આગામી 9 ડિસેમ્બર ના રોજ વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. ત્યારે ભાજપ કૉંગ્રેસ સાથે NCP પણ 50 બેઠકો પરથી ચૂંટણી લડશે. જેમાં પ્રથમ તબક્કાની 29 સીટોનો સમાવેશ થાય છે. આજરોજ NCPના પ્રફુલ્લ પટેલ રાજકોટ આવી પહોંચ્યા હતા. અહીં તેમના દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રફુલ્લ પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, NCP ભાજપની સામે ચૂંટણી લડશે અને આવતીકાલ સુધીમાં પોતાનો ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરશે.

જેમાં મુખ્ય ખેડૂતોના પ્રશ્નો, બેરોજગારી, અને પાટીદાર સમાજને અનામત કઇ રીતે મળી શકે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે સુપ્રીમમાં વર્ષો બાદ અયોધ્યા રામ મંદિરને લઇ સુનાવણી થાય છે તે સારી વાત છે. આ પ્રશ્નનો ઉકેલ આવે તો દેશ માટે સૌથી મોટી ખુશીની વાત છે. એમ જણાવી તેમણે ભાજપની 150થી વધુ બેઠક પર જીતની વાત ને ખોટી ગણાવી હતી. 150 પ્લસ બેઠક પર ભાજપની જીત અશક્ય હોવાનું કહ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

મિનિટોમાં ઘરે સ્વાદિષ્ટ બીટરૂટ-નાળિયેરની ચટણી બનાવો, તેની સરળ રેસીપી હમણાં જ નોંધી લો

નવા વર્ષમાં વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો હેલ્થી ડાયેટિંગથી કરો શરૂઆત, જાણો જાન્યુઆરી કેવો હોવો જોઈએ ડાયેટ પ્લાન

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Tips And Tricks: ભટુરે ફુગ્ગાની જેમ ફૂલી જશે, લોટ ગૂંથતી વખતે ફક્ત આ 2 કામ કરો

વધુ જુઓ..

નવીનતમ

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

શાહરૂખ ખાન પર વિવાદ કેમ ? બોલીવુડ સુપરસ્ટારે એવુ તો શુ કર્યુ ? 5 પોઈંટમાં સમજો

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

ગુજરાતી જોક્સ - એક અનોખો નિબંધ

26 વર્ષની જાણીતી ટીવી અભિનેત્રીએ કરી આત્મહત્યા, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, સુસાઇડ નોટમાં જણાવ્યું મોતનું કારણ

આગળનો લેખ
Show comments