Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિત શાહની બાઈક રેલીમાં ખેડૂત સમાજના લોકોને નજર કેદ કરાયાં

Webdunia
ગુરુવાર, 9 નવેમ્બર 2017 (12:51 IST)
બારડોલીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રચાર અર્થે નિકળ્યાં ત્યારે બારડોલી ટાઉનહોલ ખાતે સભા અગાઉ અમિત શાહનું બાઈક રેલી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તબક્કે ઈન્કમટેક્સ સહિતના મુદ્દાઓ સાથે ખેડૂત સમાજ દ્વારા અમિત શાહને મળવાનો સમય મંગાયો હતો. પરંતુ તે ન અપાતાં ખેડૂત સમાજના પ્રમુખ સહિતના લોકોને નજરકેદ કરી દેવામાં આવ્યાં હતાં. બારડોલીમાં અમિત શાહની સભા અગાઉ એક વિશાળ બાઈક રેલી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

બારડોલીમાં સાંઈ કૃષ્ણ સોસાયટીમાં અમિત શાહે ધારાસભ્યોસાથે બેઠક કરી હતી. ત્યારબાદ બારડોલી ટાઉન હોલ ખાતે શક્તિ કેન્દ્રના હોદ્દેદારોને અમિત શાહે માર્ગદર્શન આપ્યું હતું. અમિત શાહના કાર્યક્રમમાં ખેડૂત સમાજ દ્વારા સમય માંગવામાં આવ્યો હતો. જેમાં ઈન્કમટેક્સ સહિતના 37 મુદ્દાઓ હતાં. જે ન ફાળવાતાં વિરોધ થવાના અણસાર હતાં. જો કે, પોલીસે વિરોધ થાય તે અગાઉ જ તમામ પ્રમુખ સહિતના હોદ્દેદારોને નજર કેદ કરી દીધા હતાં. નજર કેદ થયેલા ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ,જયેશ દેલાડ, દર્શન નાયકના નિવાસ સ્થાને પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments