Dharma Sangrah

પહેલા મરઘી કે ઈંડુ ? વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે સવાલનો જવાબ તમે પણ જાણી લો

Webdunia
શનિવાર, 18 ડિસેમ્બર 2021 (14:27 IST)
આપણે બાળપણથી જ એક પ્રશ્ન સાંભળતા આવ્યા છીએ. સવાલ એ છે કે મરઘી પહેલા આવી કે ઈંડું? પરંતુ હવે આ સવાલનો જવાબ મળી ગયો છે. વૈજ્ઞાનિકોએ આનો જવાબ શોધી કાઢ્યો છે કે દુનિયામાં પ્રથમ મરઘી આવ્યું હતું કે ઈંડું ? પહેલા આ પ્રશ્ન લોકોને મૂંઝવતો હતો. લોકો સમજી ન શક્યા કે જવાબ શું છે? પરંતુ વૈજ્ઞાનિકોએ હવે લોકોની મૂંઝવણ દૂર કરી દીધી છે.  
 
પહેલાં ચિકન આવ્યું કે ઈંડું?" પ્રશ્નનો જવાબ વૈજ્ઞાનિકોએ સંપૂર્ણ તર્ક સાથે આપ્યો છે.
 
યુનાઇટેડ કિંગડમ (યુકે)ની યુનિવર્સિટી ઓફ શેફિલ્ડ અને વોરવિકના પ્રોફેસરોએ "પહેલાં મરઘી કે ઈંડું આવ્યું?" પ્રશ્નનો જવાબ શોધવા માટે ઘણું સંશોધન કર્યું છે, લાંબા સંશોધન પછી, વૈજ્ઞાનિકોને આખરે સફળતા મળી છે. અને તેઓ આ મોટા પ્રશ્નનો જવાબ મળ્યો. વૈજ્ઞાનિકોએ તેમના જવાબને સાચા સાબિત કરવા માટે ઘણી દલીલો આપી છે. 
 
 
વૈજ્ઞાનિકોના આ રિસર્ચથી જાણવા મળ્યું છે કે દુનિયામાં મરઘી પહેલા અને ઈંડું પાછળથી આવ્યું. સૌથી મહત્વની વાત એ છે કે મરઘી વિના ઈંડાનું ઉત્પાદન થઈ શકતું નથી. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઈંડાના શેલમાં ઓવોક્લાડિન નામનું પ્રોટીન હોય છે, જેના વિના ઈંડાનું શેલ બની શકતું નથી.
 
સૌથી મોટી વાત એ છે કે આ પ્રોટીન માત્ર અને માત્ર મરઘીના ગર્ભાશયમાં જ બને છે. તેથી જ્યાં સુધી મરઘીના ગર્ભાશયમાંથી આ પ્રોટીન ઈંડાના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં ન આવે ત્યાં સુધી ઈંડું બનાવી શકાતું નથી. હવે આ વાત પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે દુનિયામાં સૌથી પહેલા મરઘી આવ્યું અને પછી ઈંડું આવ્યું.
 
જ્યારે મરઘી આ દુનિયામાં આવી ત્યારે તેના ગર્ભાશયમાં ઓવોક્લાઈડિન બન્યુ, ત્યારબાદ આ પ્રોટીન ઈંડાના શેલમાં પહોંચી ગયું હતું. આ રિસર્ચના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ.કોલિન ફ્રીમેન કહે છે કે આ સવાલ ઘણા સમયથી લોકોને સતાવી રહ્યો છે કે આખરે દુનિયામાં મરઘી કે ઈંડું પ્રથમ આવ્યું? પરંતુ વૈજ્ઞાનિકોએ પુરાવા સાથે જવાબ શોધી કાઢ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નેહરૂ, જીન્ના, કટોકટી, વિશ્વાસઘાત... ગુસ્સે થઈ કોંગ્રેસ, વંદે માતરમ પર PM મોદીએ કોંગ્રેસ પર લગાવ્યા 10 આરોપ

Year Ender 2025- બે આતંકવાદી હુમલાઓએ દેશને હચમચાવી નાખ્યો, જેમાં 41 લોકોના મોત થયા; 'ઓપરેશન સિંદૂર' ની વાર્તા

Indigo Crisis- સોમવારે પણ ઇન્ડિગોનું ઓપરેશનલ કટોકટી ચાલુ છે, મુખ્ય એરપોર્ટ પર 350 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

PF માં મહત્તમ કેટલી રકમ જમા કરાવી શકાય છે અને આ અંગેના નિયમો શું છે?

વધુ જુઓ..

ધર્મ

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

આગળનો લેખ
Show comments