Webdunia - Bharat's app for daily news and videos

Install App

AAP સર્વે : કેજરીવાલ મોદી કરતાં 50,000 મતોથી પાછળ

આગામી દસ દિવસમાં અંતર ઘટી જવાનો દાવો

Webdunia
શુક્રવાર, 18 એપ્રિલ 2014 (15:54 IST)
વારાણસીમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતરેલા આમ આદમી પાર્ટીની સુપ્રીમો અરવિંદ કેજરીવાલ મોદી કરતાં 50,000 મતોથી પાછળ હોવાનું આપના સર્વેમાં જાણવા મળ્યું છે. આમ આદમી પાર્ટીએ આંતરિક સર્વે દ્વારા આ અંદાજ લગાવ્યો છે. વારણસીના સવા ત્રણ લાખ ઘરોમાંથી 80,000 ઘરમાં આ સર્વે કરવામાં આવ્યો હતો.

કેજરીવાલના કેંપેઈન મેનેજર ગોપાલ મોહને જણાવ્યું હતું કે, તેઓ તેને એક સફળતા તરીકે જોઈ રહ્યા છે. જ્યારે કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી ત્યારે કેજરીવાલ મોદીની તુલનામાં 2 લાખ જેટલા વોટથી પાછળ હતા. તેમનું કહેવું છે કે આ અંતરને આગામી 10 દિવસોમાં ઘટાડી દેવાશે.

આપ દ્વારા વારાણસીના મહમૂરગંજ વિસ્તારમાં કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. જોકે આપ માટે લોકો સુધી પહોંચવાનો એક પડકાર છે. આપનો લક્ષ્યાંક 3.14 લાખ ઘરોમાં ઓછામાં ઓછી ત્રણ વાર સુધી પહોંચવાનો છે. અહીંથી કેજરીવાલને જીતાડવાની જવાબદારી મનીષ સિસોદીયા, દિલીપ પાંડે, દુર્ગેશ પાઠક, કપિલ મિશ્રા તથા ગુલાબ સિંહને આપવામાં આવી છે.

કેજરીવાલ વારાણસીમાં શેરી નાટકો અને પદયાત્રા પર વઘારે ધ્યાન આપશે. આપને આશા છે કે મોદીની વ્યસતતા તેમને ફાયદો કરાવશે. કેમકે મોદી વારાણસીમાં ઓછો સમય ફાળવી શકશે. દિલ્હી વિધાનસભામાં શીલા દીક્ષિતને હરાવનાર કેજરીવાલ તે સમયે પણ તેમના કેંપેઈન મેનેજર હતા. જોકે, મોહન માની રહ્યા છે કે આ વખતે પડકાર મુશ્કેલભર્યો હશે.
 
 
 
 

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

Show comments